અમદાવાદના ભદ્રકાળી મંદીરમાં પહેલા નોરતાનો માહોલ

આજથી નવરાત્રિની શરૂઆત થઈ છે. મા દુર્ગાના આરાધનાના પર્વ શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. નવ દિવસ સુધી નવરાત્રિ રમાશે. ત્યારે ગુજરાતના મંદિરોમાં અનોખો માહોલ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો નવરાત્રિના પહેલા દિવસે જ મંદિરે પૂજા કરવા પહોંચી ગયા છે. જિલ્લામાં મોટા મંદિરોમાં ઘટ સ્થાપના વિધિ રંગેચંગે કરાઈ છે.

Trending news