Exclusive: દિલ્હીમાં ખીલશે કમળ, કેજરીવાલનું થશે પતન-CM વિજય રૂપાણી

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ત્યારે સીએમ રૂપાણીએ પાંચ દિવસ દિલ્લીમાં પ્રચાર કર્યો. સીએમ રૂપાણી સાથે ઝી 24 કલાકની ટીમ પણ પાંચ દિવસ તેમની સાથે રહી. આ પાંચ દિવસમાં મુખ્યમંત્રીએ અનેક વિસ્તારમાં પ્રચાર કર્યો. ખાસ કરીને ગુજરાતીઓ જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં જઈને તેમણે સભાઓ યોજી. આજે પ્રચાર પડઘમ શાંત થઈ રહ્યા છે ત્યારે આપણી ચેનલ ઝી 24 કલાકે સીએમ રૂપાણી સાથે ખાસ વાત કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે દિલ્લીના દિલમાં શું છે અને આ ચૂંટણીમાં દિલ્લીમાં કોની હવા ચાલી રહી છે.

Trending news