સુરત અકસ્માતમાં મનપાએ માગ સ્વિકારી, પરિવારજનોએ સ્વીકાર્યો મૃતદેહ

ગઈકાલે વહેલી સવારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બે બાળકોને સ્કૂલમાં મૂકવા જઈ રહેલા પિતાની બાઈકને સિટી બસે અડફેટે લીધી હતી. જેમાં ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જેને લઇને મૃતકોના પરિવારજનો તેમની માગ નહીં સ્વીકારાય ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જો કે, મનપા માગ સ્વીકારવામાં આવતા મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી.

Trending news