વિશ્વ પ્રસિદ્ધ ગીરની કેસર કેરીના આંબા પર કાતિલ ઠંડીની વિપરીત અસર

વિશ્વ પ્રસિદ્ધ ગીરની કેસર કેરીના આંબા પર કાતિલ ઠંડીની વિપરીત અસરથી બાગાયતી ખેડુતો ચિંતામાં મૂકાયા છે. ભરપૂર માત્રામાં આવેલ ફ્લાવરીંગ ઠંડીના કારણે બળી જવાની ભીતી પેદા થઈ છે. કેરીના બાગાયતી પાકને પાક વીમા અંતર્ગત આવરી લેવા સરકાર પાસે ખેડુતોની લાંબા સમયથી માંગણી છે. ચાલુ વર્ષે મેઘરાજાની કૃપાથી અને સીઝન સિવાયના કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન વેઠવુ પડ્યુ છે.

Trending news