વિન્ટેજ કાર News

અમદાવાદમાં અહીં ચાલી રહ્યું છે વિન્ટેજ કારનું પ્રદર્શન, ફરી નહી મળે તક !
જ્યારે અમદાવાદના નહેરુબ્રિજનું ઉદઘાટન થયું, ત્યારે જવાહલાલ નહેરું એક ખાસ કારમાં બેસીને નહેરુબ્રિજ પર પહોંચ્યા હતા. જો એ કાર અમદાવાદમાં આજે પણ જોવા મળે તો !! નવાઈ લાગશે. પરંતુ આજે પણએ કારની હયાતી છે. આખરે ક્યાં? તો આવો જાણીએ. વિન્ટેજ અને ક્લાસિક કાર વિશે સાંભળવું જેટલું રસપ્રદ છે. તેટલો જ રસપ્રદ છે તેમનો ઈતિહાસ. અમદાવાદમાં દર બે વર્ષે યોજાતાં વિન્ટેજ એન્ડ કલાસિક કાર એક્સિબિશનમાં આવી એક નહીં પરંતુ 80 વીન્ટેજ અને કલાસિક કાર જોવા મળી. જેનું અમદાવાદ સાથે જાણે કે વર્ષો પુરાણો નાતો હોય. કેટલીક એવી દુર્લભ કાર્સ પણ અહીં જોવા મળી. જેનાં વિશે સાંભળતાં તમને અમદાવાદનો ભવ્યાતિભવ્ય ભૂતકાળ યાદ આવી જશે. 
Feb 9,2020, 21:37 PM IST

Trending news