Through News

Surat: ચેઇન માર્કેટિંગના વ્યવસાય દ્વારા નાણા બમણા કરનારી કંપની ઉઠી ગઇ
કંપનીમાં રોકાણ કરી 2 વર્ષમાં ડબલ રૂપિયા આપવાની ગેરન્ટી આપનારાઓનો રાફડો જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યો છે. સુરતમાં આવા અનેક લોકોએ હજારો લોકોની મહેનતથી કમાયેલી મૂડી ચાઉં કરી લીધી છે, ત્યારે સુરતમાં ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ કંપની ઊઠી જતાં કંપનીના ડિરેક્ટરો સહિત 9 વિરુદ્ધ સરથાણા પોલીસમાં ગુનો દાખલ થયો છે. જેની તપાસ પોલીસ કમિશનર દ્વારા નવા બનેલા ઇકોનોમિક્સ સેલને સોંપવામાં આવી છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ કરવા ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ. નામથી માર્કેટિંગ કંપનીના માલિક ભાર્ગવ પ્રવીણચંદ્ર પંડ્યાએ સરથાણા જકાતનાકા પાસે ગોકુમ આર્કેડમાં 5 વર્ષ પહેલાં શરૂ કરી હતી. 
Feb 9,2021, 23:05 PM IST

Trending news