Sabarkatha police News

Sabarkatha: જાનૈયા કરતા વધારે પોલીસ, બંદોબસ્ત વચ્ચે જાન કાઢવાની આ પરિવારને કેમ જરૂર
વડાલીના ભજપુરામાં અનુસુચિત જાતિના પરિવારનો વરઘોડો ગામમાં પોલીસ પહેરામાં નીકળેલો વરઘોડો શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો વરઘોડો. સાબરકાંઠા જિલ્લામાં અગાઉ અનુસૂચિત જાતિ પરિવારમાં લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન બે સમાજો વચ્ચે ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે વડાલીના ભજપુરા ગામમાં વસતા અનુસૂચિત જાતી પરિવારમાં લગ્ન પ્રસંગ યોજવા જઈ રહ્યો હતો. જેમાં પરિવાર દ્વારા વરઘોડો  ગામના ચોકમાં નિકાળવાનું નક્કી કર્યું હતું, પરંતુ ગામમા વસતા અન્ય સમજો દ્વારા વિરોધ થવાની શક્યતાઓને લઇ પરિવાર દ્વારા સરકાર અને પોલીસ સમક્ષ રક્ષણની માંગ કરાઈ હતી. ત્યારે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પરિવારના લગ્ન પ્રસંગ દરમિયાન ત્રણ કલાક માટે નીકળનાર વરઘોડો પોલીસ પહેરા આપ્યો હતો. ગામમાં પોલીસના પહેરા સાથે શાંતિ પૂર્ણ માહોલમાં લગ્નનો વરઘોડો પૂર્ણ થયો હતો.
Mar 7,2021, 0:10 AM IST

Trending news