Pariksha pe charcha 2020 News

‘પરીક્ષા પે ચર્ચા‘માં PM મોદીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજી વિશે આપી ખાસ સલાહ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ ‘પરીક્ષા પે ચર્ચા 2020’ (PARIKSHA PE CHARCHA 2020) કાર્યક્રમ અંતર્ગત દેશભરના સ્ટુડન્ટ્સ, ટીચર્ચ અને વાલી સાથે વાત કરી. દિલ્હીના તાલકોટરા સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાને સ્ટુડન્ટ્સને પરીક્ષાના તણાવથી દૂર રહેવાનો મંત્ર આપ્યો. વિદ્યાર્થીઓએ પણ પીએમ સાથે સીધો સંવાદ કરીને પરીક્ષા દરમિયાન આવતી સમસ્યાઓ જણાવી હતી. પરીક્ષા પે ચર્ચા (PARIKSHA PE CHARCHA) કાર્યક્રમની ત્રીજી સીરિઝમાં પહેલીવાર દેશના વિવિધ સ્કૂલના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. પરીક્ષા પે ચર્ચા દરમિયાન તાલકટોરા સ્ટેડિયમ (Talkatora Stadium)માં આવેલા વિદ્યાર્થીઓની પસંદગી mygov પ્લેટફોર્મ પર એક નિબંધ સ્પર્ધા અંતર્ગત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12ના 2.60 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને ઓનલાઈન સવાલ મોકલ્યા હતા. 
Jan 20,2020, 14:59 PM IST

Trending news