Mehul choksi 34 page reply News

મેહુલ ચોક્સીએ કહ્યું, 41 કલાકની મુસાફરી કરીને ભારત ન આવી શકું
દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. મેહુલ ચોક્સીએ પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતાં કહ્યું કે તે ફ્લાઇટમાં 41 કલાકની મુસાફરી કરીને ભારત ન આવી શકે. તમને જણાવી દઇએ કે મેહુલ ચોક્સીને ભાગેડૂ નાણાકીય અપરાધી જાહેર કરવા માટે પ્રિવેંશન ઓફ મની લોંડ્રિંગ એક્ટ (PMLA) સ્પેશિયલ કોર્ટમાં ઈડી (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં મેહુલ ચોક્સી દ્વારા પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતાં આ વાત કહી છે. મેહુલ ચોક્સીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલાં જ ઇન્ટરપોલ દ્વારા તેના વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે.
Dec 25,2018, 11:58 AM IST

Trending news