Mahisagar police News

Mahisagar માં ભાજપના દિગ્ગજ નેતાની હત્યા મુદ્દે હજી પણ પોલીસના અંધારામાં ફાંફાં
જિલ્લાના ભાજપના કારોબારી સભ્ય અને તેમની પત્નિની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ડબલ મર્ડરની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા ઈસમો દ્વારા વૃદ્ધ દંપતિની હત્યા કરવાની ઘટનામાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.મહીસાગર જિલ્લાના ગોલાના પાલ્લા ગામે રહેતા અને નિવૃત જીવન ગાળી રહેલ પંચાલ દંપતીની ગત રાત્રીના સુમારે હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના બનવા પામી છે. ગોલાના પાલ્લા ગામે રહેતા ત્રિભોવનદાસ પંચાલ ઉ.વ.77 અને તેમના ધર્મપત્નિ જશોદાબેન પંચાલ ઉ.વ.70 પોતાનું નિવૃત જીવન ગાળી રહ્યા હતા. ત્રિભોવનદાસ મહિસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં કારોબારી સભ્ય પણ હોદ્દો ધરાવતા હતા, તેઓના 3 પુત્રો છે. જે પૈકી એક પુત્રનું કોરોનાને લઈને થોડા સમય પહેલા જ અવસાન થયું હતું. જ્યારે અન્ય બે પુત્રો પૈકી એક પુત્ર આણંદ ખાતે તબીબ છે. જયારે અન્ય પુત્ર વિદેશ રહે છે. ગત રાત્રીના સમયે વૃદ્ધ ત્રિભોવનદાસ  પંચાલ અને તેમના પત્નિ જમી રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ બુમ પાડીને વૃદ્ધ ત્રિભોવનદાસને બહાર બોલાવ્યા હતા. 
Aug 6,2021, 23:39 PM IST

Trending news