Made such a revelation News

પોલીસ ફોર્સમાં ભ્રષ્ટાચારની શરૂઆત ક્યાંથી થાય છે? સી.આર પાટીલે કર્યો આવો ખુલાસો
પોલીસ વિભાગમાં થતો ભ્રષ્ટાચાર હંમેશાને માટે ચર્ચાનું કેન્દ્ર રહેતું હોય છે. જો કે એક સમયે પોલીસ ફોર્સમાં રહી ચુકેલા અને હાલમાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પોલીસ વિભાગમાં થતા ભ્રષ્ટાચાર અંગે દિલ ખોલીને વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, પોલીસ વિભાગમાં થતો ભ્રષ્ટાચાર અન્ય વિભાગોની તુલનાએ પ્રમાણમાં ખુબ જ ઓછો હોય છે. જો કે જાહેર જનતા સાથે સીધો સંપર્ક હોવાના કારણે પોલીસ નાગરિકોની નજરે ચડે છે. પરંતુ જો આંકડાકીય રીતે જોવામાં આવે તો ભ્રષ્ટાચારની રકમ અને કેસ બાબતે પોલીસ વિભાગ અન્ય વિભાગોની તુલનાએ ખુબ જ પાછળ છે. આવી ઘણી અંદરની વાતો ભાજપ પ્રમુખે પોલીસ જવાનો સમક્ષ દિલ ખોલીને પરિવારના વડીલની જેમ નિખાલસ રીતે રજુ કરી હતી. 
Jun 21,2022, 18:04 PM IST

Trending news