Jammukashmir news News

પુલવામા એટેકને પગલે ગુજરાતનું તંત્ર થયું એલર્ટ
 જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં જવાનો પર અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 44 જવાનો શહીદ થયા છે. જવાનો પર થયેલા આ આતંકી હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. આ હુમલાને કારણે સરકાર એક્શનમાં આવી ગઈ છે. મોદી સરકારના કાર્યકાળમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ફિદાયીન હુમલો છે. હુમલાને જોતા વડાપ્રધાન મોદીએ ખુદ કાર્યવાહીની કમાન સંભાળી છે. વડાપ્રધાન મોદી દરેક સ્તરની માહિતી મેળવી રહ્યા છે. સુરક્ષા મામલોની કેબિનેટ બેઠકમાં પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગૃહ મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ઈન્ટેલિજન્સ બ્યૂરોના નિર્દેશક અને અનેક અન્ય સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ એજન્સીઓ સાથે વાત કરી છે. ત્યારે ગુજરાતમાં પણ આ હુમલાને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. 
Feb 15,2019, 13:55 PM IST

Trending news