Goswami haweli News

અમદાવાદ : કાલુપુરના ગોસ્વામી હવેલીમાંથી ગાયબ થઈ ભગવાનની 12 મૂર્તિઓ
અમદાવાદમાં કાલુપુરના દોશીવાળાની પોળમાં આવેલા ગોસ્વામીની હવેલીમાંથી 12 મૂર્તિઓ અચાનક ગાયબ થઈ ગઈ હતી. મૂર્તિઓની ચોરી થવાની મંદિરના હોદ્દેદારોને જાણ થતા તેમણે આ અંગે કાલુપુર પોલીસ મથકે જાણ કરી હતી. કાલુપુર પોલીસે મંદિરના હોદ્દેદારોની અરજીને લઈ તપાસ હાથધારીઓ છે. જેમાં પોલીસને માલૂમ થયું હતું કે, મંદિરમાંથી મંદિરના ગાદીપતીના નાના ભાઈએ મૂર્તિઓ ગાયબ કરી છે. જે પૈકી હાલ 4 મૂર્તિઓ પોલીસને મળી છે. જ્યારે કે, અન્ય મૂર્તિઓ હજુ પણ ગાયબ છે. પોલીસ હાલ અન્ય મૂર્તિઓની શોધખોળ હાથ ધરી છે. જો મંદિરની અન્ય મૂર્તિઓ પરત નહી મળે તો પોલીસ મૂર્તિઓ ગાયબ કરનારા સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Nov 7,2019, 10:55 AM IST

Trending news