રવિરાજસિંહ જાડેજા News

રાજકોટ લોહીયાળ પ્રેમ પ્રકરણમાં ખુલાસો : રવિરાજ રોજ રાત્રેના ખુશ્બુના ઘરે જ
રાજકોટના યુનીવર્સીટી પોલીસ મથકના મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને સાથી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની કાલાવડ રોડ પર આવેલ ખુશ્બુના ઘરમાંથી ગોળીથી વિંધાયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેને લઇ પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી FSL ની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ગઈકાલે FSL રીપોર્ટ આવતા ની સાથે સમગ્ર મામલે નવો વળાંક સામે આવ્યો છે. ચાર દિવસથી એક એવી ચર્ચા ચાલતી હતી કે, રવિરાજસિંહે પહેલા ખુશ્બુની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી છે. જે દિશા તરફ પોલીસ આગળ તપાસ કરી રહી હતી અને એવામાં એફ.એસ.એલ રિપોર્ટમાં ખુશ્બુના ખભા પરથી ગન પાઉડર મળી જતા ખુશ્બુએ પહેલા રવિરાજની હત્યા નિપજાવી, અને બાદમાં પોતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 
Jul 16,2019, 13:19 PM IST

Trending news