બેવડો ફટકો! ઈંગ્લેન્ડે વિશ્વકપ તો ગુમાવ્યો પણ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ નહીં થઈ શકે ક્વોલિફાય, જબરો રકાસ

World Cup 2023: ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ 2023માં કંઈ ચમત્કાર થશે તેવી આશા ઓછી છે. આવી સ્થિતિમાં હવે તેમની નજર 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થવા પર છે. જોકે, ભારત સામે 100 રનની હાર બાદ ઈંગ્લેન્ડના કોચે જે કહ્યું તેના પરથી લાગે છે કે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન માટે બધું ઠીક નથી.

બેવડો ફટકો! ઈંગ્લેન્ડે વિશ્વકપ તો ગુમાવ્યો પણ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ નહીં થઈ શકે ક્વોલિફાય, જબરો રકાસ

વર્લ્ડ કપ 2023માં ઈંગ્લેન્ડની સ્થિતિ આપણે પહેલાંથી જ જાણીએ છીએ. ગયા વર્ષની ચેમ્પિયનની આ વર્ષે સૌથી ખરાબ બની છે. ટૂર્નામેન્ટમાં રમી રહેલી 10 ટીમોની પોઈન્ટ ટેલીમાં તેઓ સૌથી નીચલા સ્થાને છે. આનો અર્થ એ થયો કે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં તેમની ભાગીદારી પણ લગભગ રદ થઈ ગઈ છે. જો કે, ઈંગ્લેન્ડ સામેની સમસ્યા માત્ર આ એક આઈસીસી ઈવેન્ટની નથી. અહીં તેમના ખરાબ પ્રદર્શન બાદ હવે તેમના માટે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ક્વોલિફાય કરવું મુશ્કેલ બની ગયું છે. ઈંગ્લેન્ડનો રસ્તો ત્યારે વધુ મુશ્કેલ બની ગયો જ્યારે ભારતે તેમને 100 રનના મોટા માર્જિનથી હરાવ્યું. ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કોચ મેથ્યું મોટનું કહેવું છે કે તેમને ક્વોલિફિકેશનની સ્થિતિ વિશે માત્ર 90 મિનિટ એટલે કે દોઢ કલાક પહેલાં જ ખબર પડી હતી.

હવે સવાલ એ છે કે શું ઈંગ્લેન્ડના કોચ અને કેપ્ટન વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. આ કારણ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય થવાનું ગણિત, જે કોચ મેથ્યુ મોટને 90 મિનિટ પહેલા જાણવા મળ્યું હતું, તે ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરને પહેલેથી જ ખબર હતી. ભારત સામે હાર્યા બાદ મેચ પછીના પ્રેઝન્ટેશનમાં જોસ બટલરને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેતા જોવા મળ્યા કે તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ક્વોલિફિકેશન પ્રક્રિયાથી વાકેફ છે.

ઈંગ્લેન્ડના ખરાબ પ્રદર્શનનું આ કારણ નથી
હવે કેપ્ટનને જે ખબર હતી તે કોચને કેમ ખબર ન પડી? મતલબ કે ટીમમાં કોચ અને કેપ્ટન વચ્ચે કોઈ વાતચીત નથી. શું આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના ખરાબ પ્રદર્શનનું આ કારણ તો નથી ને? તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 1 મેચ જીતવામાં સફળ રહી છે. મતલબ કે તે 5 મેચ હારી ગઈ છે. ટૂર્નામેન્ટના ડિફેન્ડિંગ ચેમ્પિયનની હાલત આ વર્લ્ડ કપમાં નેધરલેન્ડ જેવી નબળી ટીમ કરતાં પણ ખરાબ છે.

અકરમે ઈંગ્લેન્ડના કોચના નિવેદન પર ઝાટકણી કાઢી 
પાકિસ્તાનમાં બેઠેલા વસીમ અકરમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ક્વોલિફિકેશન સિનેરીયોને જાણતા ન હોય તેવા ઈંગ્લેન્ડના કોચ મેથ્યુ મોટ પર પણ કટાક્ષ કર્યો છે. તેમણે પાકિસ્તાનના એક સ્પોર્ટ્સ શોમાં કહ્યું કે અમે છેલ્લા 3 અઠવાડિયાથી આ મુદ્દે બૂમો પાડી રહ્યા છીએ અને વાત કરી રહ્યા છીએ. બીજું કંઈ નહિ તો અમારો શો જોયો હોત તો પણ ખબર પડી હોત.

ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ટોપ 8માં કેવી રીતે સ્થાન મેળવી શકે?
ભારત સામે 100 રનની હાર બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય થવાનો ઇંગ્લેન્ડનો રસ્તો ચોક્કસપણે મુશ્કેલ બની ગયો છે. પરંતુ, હજુ પણ અશક્ય નથી. વર્લ્ડ કપ 2023માં ઈંગ્લેન્ડને હજુ 3 મેચ રમવાની બાકી છે. ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને પાકિસ્તાન સામેની આ મેચમાં જો ઈંગ્લેન્ડ 2 મેચ જીતી જાય છે તો તેની આશાઓ જળવાઈ રહેશે. આ ઉપરાંત તેમણે પ્રાર્થના કરવી પડશે કે નેધરલેન્ડ તેની આગામી ત્રણ મેચ હારે બાંગ્લાદેશની ટીમ પણ આગામી 3 મેચમાંથી 2 હારી છે. જો આમ થશે તો ઈંગ્લેન્ડની ટીમ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news