સચિને અર્જુનને આપ્યો ગુરૂમંત્ર, 'પુત્ર જીવનમાં આ ક્યારેય ન કરતો, નહીંતર ખૂબ પસ્તાઇશ'

ભારતીય ટીમને 30મે થી ઇગ્લેંડ એન્ડ વેલ્સમાં શરૂ થનાર વર્લ્ડ કપના ખિતાબની પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે. પરંતુ ટીમની જીત એ વાત પણ નિર્ભર કરે છે કે વિરાટ કોહલીની કેપ્ટનશિપ પ્રતિયોગિતામાં કેટલી પ્રભાવશાળી સાબિત થાય છે.

સચિને અર્જુનને આપ્યો ગુરૂમંત્ર, 'પુત્ર જીવનમાં આ ક્યારેય ન કરતો, નહીંતર ખૂબ પસ્તાઇશ'

મુંબઇ: મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે તેમણે પોતાના કેરિયરમાં ક્યારેય 'શોર્ટકટ' ન લેવાની પોતાની પિતાની સલાહ પર હંમેશા અમલ કર્યો અને હવે આ સલાહ તેમણે પોતાના પુત્રને આપી છે. સચિન તેંડુલકરે પુત્ર અર્જુન તેંડુલકરને તાજેતરમાં જ ટી20 મુંબઇ લીગ રમ્યો જેમાં બેટ અને બોલ બંને વડે સારું પ્રદર્શન કર્યું. તેણે આકાશ ટાઇગર મુંબઇ પશ્વિમ ઉપનગર ટીમને પાંચ લાખ રૂપિયામાં ખરીદી હતી. 

તેમને પૂછવામાં આવ્યું કે શું તે પોતાના પુત્રને દબાણનો સામનો કરવા માટે કોઇ સીખ લે છે, સચિન તેંડુલકરે કહ્યું, 'મેં ક્યારેય તેનાપર કોઇ વસ્તુ માટે દબાણ નહી નાખું. મેં તેના પર કોઇ વસ્તુ માટે દબાણ નહી નાખુ. તે પહેલાં ફૂટબોલ રમતો હતો, પછી ચેસ અને હવે ક્રિકેટ રમવા લાગ્યો. 

તેમણે કહ્યું, 'મેં તેને કહ્યું કે જીવનમાં જે પણ કરો, શોર્ટકટ લેશો નહી. મારા પિતા (રમેશ તેંડુલકર)એ પણ મને આ જ કહ્યું હતું અને મેં અર્જુનને એ જ કહ્યું. તારે મહેનત કરવી પડશે અને પછી તારા નિર્ભર કરે છે કે ક્યાં સુધી જાવ છો. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે બીજા માતા-પિતાની માફક તે પણ ઇચ્છે છે કે તેમનો પુત્ર સારું પ્રદર્શન કરે.

વિકેટ પાછળ ધોનીનો રોલ કોહલી માટે મહત્વપૂર્ણ હશે: તેંડુલકર
ભારતીય ટીમને 30મે થી ઇગ્લેંડ એન્ડ વેલ્સમાં શરૂ થનાર વર્લ્ડ કપના ખિતાબની પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે. પરંતુ ટીમની જીત એ વાત પણ નિર્ભર કરે છે કે વિરાટ કોહલીની કેપ્ટનશિપ પ્રતિયોગિતામાં કેટલી પ્રભાવશાળી સાબિત થાય છે. ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં વિરાટની કેપ્ટનશિપની ખૂબ ટીકા થઇ, પરંતુ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર ભારતીય કેપ્ટનના પક્ષમાં છે.  

તેંડુલકરે કહ્યું 'હું સમજુ છું કે આપણે આઇપીએલ અને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તુલના કરવા માંગતા નથી. બંને અલગ-અલગ ફોર્મેટ છે, એક ટી-20 છે જેમાં ઘણા વિદેશી ખેલાડી છે અને બીજી તરફ એવું ફોર્મેટ છે જ્યાં તમારી ટીમમાં બધા ભારતીય ખેલાડી છે. એટલા માટે બંનેની તુલના ન કરવી જોઇએ. સ્પષ્ટ છે કે જ્યારે વાત કેપ્ટનશિપની આવે છે તો વિરાટ પુરી રીતે પ્રતિબદ્ધ છે.'' 

તેમણે એ પણ સ્વિકાર્યું કે અનુભવી મહેંદ્વ સિંહ ધોનીનો રોલ વિકેટ પાછળ મહત્વપૂર્ણ હશે અને કોહલી માટે આ ખૂબ સારી વાત છે કે તેમની પાસે આટલો અનુભવી ખેલાડી છે. 

તેંડુલકરે કહ્યું કે ''ધોનીનું વિકેટ પાછળ ઉભા રહેવાનો અનુભવ ટીમને ખૂબ મદદ કરશે કારણ કે તે સ્થાન પર ઉભા રહીને તે બધુ સારું રીતે જોઇ શકે છે. ત્યાં ઉભા રહીને, તે આખા મેદાનને તે પ્રકારે જોઇ શકે છે જે પ્રકારે એક બેટ્સમેન જુએ છે. તેમની સલાહ મહત્વપૂર્ણ હશે કારણ કે તેમને ખબર હશે કે પિચ કેટલી સારી અથવા ખરાબ છે, શું બોલ અટકીને આવે છે અથવા બેટ પર સારી રીતે આવી રહી છે. જે પણ સ્થિતિ હોય, તે તેને કેપ્ટન અને બોલરની સાથે પણ શેર કરશે. એટલા માટે અનુભવી ખેલાડીની વિકેટની પાછળ હંમેશા મદદગાર સાબિત થાય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news