સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના નસીબ ખુલ્યા, મળી ગઈ ટીમમાં તક!

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના નસીબ ખુલ્યા, મળી ગઈ ટીમમાં તક!

નવી દિલ્લીઃ વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાંના એક એવા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની કિસ્મત ખુલી ગઈ છે. અર્જુન તેંડુલકરને ભારતીય ક્રિકેટમાં પ્રથમ વખત ફર્સ્ટ ક્લાસ મેચ રમવાની તક મળી. અર્જુન તેંડુલકરને પ્રથમ વખત મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર 13 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર વિરૂદ્ધ રમાનારી મેચમાં ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કરી શકે છે.

સચિનના પુત્ર અર્જુન તેંડુલકરની કિસ્મત ખુલી ગઈ- 
મુંબઈની રણજી ટ્રોફી ટીમની કમાન ઓપનર પૃથ્વી શૉને સોંપવામાં આવી છે. તે પ્રથમ બે મેચમાં મુંબઈ ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે. મુંબઈ 41 વખત રણજી ચેમ્પિયન છે. તેના પિતા સચિન તેંડુલકરથી વિપરીત, અર્જુન તેંડુલકર ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર છે. ફેબ્રુઆરી 2021માં યોજાયેલી IPLની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન તેંડુલકરને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. એક સિઝન પછી, તેને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો. આવતા મહિને IPL 2022ની હરાજીમાં અર્જુન તેંડુલકરને ફરી એકવાર ખરીદવામાં આવશે.

હવે ભારતની આ ટીમમાં તક મળી છે-
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ રણજી ટ્રોફી માટે મુંબઈની ટીમની જાહેરાત કરી છે, જેના કેપ્ટન ઓપનર પૃથ્વી શૉ છે. આ 20 સભ્યોની ટીમમાં અર્જુન તેંડુલકરની પણ પસંદગી કરવામાં આવી છે. અર્જુન તેંડુલકરને પ્રથમ વખત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તક મળશે. જોકે, ટીમની જાહેરાત પ્રથમ બે મેચ માટે જ કરવામાં આવી છે. મુંબઈની ટીમે બીજી મેચ 13 થી 16 જાન્યુઆરી દરમિયાન મહારાષ્ટ્ર સામે અને 20 થી 23 જાન્યુઆરી દરમિયાન કોલકત્તામાં દિલ્હી સામે રમવાની છે.

20 લોકોની ટીમ-
આ સિવાય યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને અરમાન જોહરીને પણ 20 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય આદિત્ય તારેને પણ મુંબઈની ટીમમાં જગ્યા આપવામાં આવી છે.ભારત માટે એક વનડે અને 13 T20 ઈન્ટરનેશનલ મેચ રમનાર ઓલરાઉન્ડર શિવમ દુબેની પણ રણજી ટ્રોફી માટે પસંદગી કરવામાં આવી છે. પસંદગી સમિતિએ બોલિંગ આક્રમણની આગેવાની માટે અનુભવી ઝડપી બોલર ધવલ કુલકર્ણીની પસંદગી કરી છે.

ટીમમાં મીડિયમ પેસર મોહિત અવસ્થી, ડાબોડી સ્પિનર ​​શમ્સ મુલાની, ઓફ સ્પિનર ​​શશાંક અટાર્ડે અને ડાબોડી મીડિયમ પેસર રોયસ્તાન ડાયસનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 41 વખતની રણજી ચેમ્પિયન મુંબઈને ચુનંદા નવ ટીમોના ગ્રુપ સીમાં રાખવામાં આવી છે અને તે 13 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર સામેની મેચથી તેના અભિયાનની શરૂઆત કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news