IND vs BAN: રાહુલ, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા બધા જ ફ્લોપ, મીરપુર ટેસ્ટમાં ભારતની હાલત ખરાબ

IND vs BAN 2nd Test: ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં બાંગ્લાદેશની બીજી ઇનિંગ 231 રનમાં સમેટાઇ ગઇ. તેથી ભારતને જીત માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો. તેણે ત્રીજા દિવસની રમત સુધી પોતાની 4 વિકેટ ગુમાવી દીધી. ટીમ ઇન્ડીયાના ટોપ ઓર્ડર ફરીથી ફ્લોપ સાબિત થયા. 

IND vs BAN: રાહુલ, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા બધા જ ફ્લોપ, મીરપુર ટેસ્ટમાં ભારતની હાલત ખરાબ

India vs Bangladesh 2nd Test, Day 3 : ભારતીય ટીમના ટોપ ઓર્ડર ફરી એકવાર ડગમગી ગયા. ટીમ ઇન્ડીયાએ બાંગ્લાદેશની વિરૂદ્ધ સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પોતાની 4 વિકેટ 37 રનના સ્કોર સુધી ગુમાવી દીધી. મેજબાનોની બીજી ઇનિંગ 231 રન પર સમેટાઇ ગઇ. જેથી ભારતને જીત માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઢાકા શેર-એ-બાંગ્લા ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલો મુકાબલો હવે રોમાંચક સ્થિતિમાં પહોંચી ગયો છે. 

ત્રીજા દિવસે વધ્યો રોમાંચ
આ સીરીઝમાં ક્લીન સ્વીપ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મહત્વપૂર્ણ પોઇન્ટ પ્રાપ્ત કરવાની કવાયતમાં લાગેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહી. તેણે ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા સુધી 4 વિકેટ પર 45 રન બનાવ્યા. ભારત હજુ સુધી લક્ષ્યથી 100 રન દૂર છે પરંતુ પીચને જોતાં આ સરળ દેખાઇ રહ્યું નથી. પિચ પર ટર્ન અને ઉછાળ મળી રહ્યો છે. ટીમ ઇન્ડીયાની પાસે ફક્ત બે વિશેષજ્ઞ બેટ્સમેન ઋષભ પંત અને શ્રેયસ ઐય્યર બચ્યા છે જેમણે પહેલી ઇનિંગમાં મોટી અર્ધશતકીય ઇનિંગ રમી હતી. સ્ટમ્પ્સના સમયે નાઇટવોચ અક્ષર પટેલ 26 અને જયદેવ ઉનડકટ 3 રન બનાવીને ક્રીજ પર હતા. 

ભારતીય બોલરોએ બતાવ્યો દમ
બાંગ્લાદેશના બેટ્સમેનોને પણ ટર્ન અને ઉછાળથી ખૂબ પરેશાન થયા. લિટન દાસ (73) અને ઓપનર જાકિર હસ (51) સિવાય પૂછડિયા બેટ્સમેન નરૂલ હસન (31) અને તસ્કીન અહમદ (31) રનનું યોગદાન કર્યું. બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં 227 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 314 રન બનાવીને 87 રનની બઢત પ્રાપ્ત કરી હતી. બીજી ઇનિંગમાં ભારત તરફથી તમામ પાંચ બોલરોને સફળતા મળી હતી. અક્ષર પટેલે 68 રન આપીને સૌથી વધુ 3 વિકેટ લીધી. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 66 રન આપીને 2 અને પેસર મોહમંદ સિરાઝે 41 રન આપીને 2 વિકેટ લીધી. આ ઉપરાંત ઉમેશ યાદવ અને ઉનડકટે 1-1 વિકેટ લીધી. 

ટોપ ઓર્ડર ફરી ફ્લોપ
145 રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતની શરૂઆત સારી રહી. તેણે ત્રીજી જ ઓવરમાં કેપ્ટન કેએલ રાહુલ (2) ની વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ 12 રનના સ્કોર પર ચેતેશ્વર પુજારા અને 29 ના સ્કોર પર શુભમન ગિલ પણ પેવેલિયન પરત ફર્યા. પહેલા ત્રણ બેટ્સમેન બેનો આંકડો પણ અટકી શક્યા નહી. વિરાટ કોહલી પણ કંઇ ખાસ કરી શક્યા નહી અને ફક્ત એક રન બનાવીને આઉટ થયેલા મહેંદી હસન મિરાઝે ત્રણ અને શાકિબ અલ હસ્ને એક વિકેટ પ્રાપ્ત કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news