India Vs Australia 3rd ODI: રાજકોટમાં બોલર કે બેટ્સમેન કોની રહેશે બોલબાલા? કેવી છે પિચ અને મોસમનો મિઝાજ

IND vs AUS 3rd ODI Pitch Report and Weather Forecast: ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી ODI મેચ બુધવારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. મેચના દિવસે રાજકોટમાં કેવું રહેશે હવામાન અને પીચ પર કોણ રહેશે પ્રભુત્વ, વાંચો સંપૂર્ણ અહેવાલ.

India Vs Australia 3rd ODI: રાજકોટમાં બોલર કે બેટ્સમેન કોની રહેશે બોલબાલા? કેવી છે પિચ અને મોસમનો મિઝાજ

India Vs Australia 3rd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેની 3 મેચની સીરિઝની ત્રીજી અને છેલ્લી વનડે આંતરરાષ્ટ્રીય મેચ 27 સપ્ટેમ્બર (બુધવાર) ના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ રાજકોટ ખાતે રમાશે. ભારતીય ટીમ પહેલા જ બે મેચ જીતીને વનડે સીરિઝ પોતાના નામે કરી ચૂકી છે. 

આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા હવે ત્રીજી વનડે જીતીને ઓસ્ટ્રેલિયાના સૂપડા સાફ કરવાના ઈરાદાથી ઉતરશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ પહેલા છેલ્લી મેચ જીતીને પોતાની ઈજ્જત બચાવવાની કોશિશ કરશે. સૌરાષ્ટ્રના SCA સ્ટેડિયમમાં કોનો જાદુ ચાલે છે? શું બેટ્સમેન રનનો વરસાદ કરશે કે બોલરો માટે મુશ્કેલી બનશે? અમે આજે તમને જણાવીશું.

રાજકોટની SCA પિચ હંમેશા બેટ્સમેનો માટે 'સ્વર્ગ' સમાન રહી છે. બેટ્સમેન હંમેશાં અહીં રાજ કરતા હોય છે. બોલ બેટ પર સરળતાથી આવે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં બેટ્સમેનો ચોગ્ગા અને છગ્ગા ફટકારતા જોવા મળશે. આ વિકેટ પર ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માંગશે. આ મેદાન પર અત્યાર સુધીમાં 3 વન-ડે મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે ત્રણેયમાં જીત મેળવી છે. અહીં સરેરાશ સ્કોર 311 છે.

હવામાન રિપોર્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો અહીં એક વન-ડે રમી હતી, જેમાં ભારત જીત્યું હતું. તે મેચમાં યજમાન ભારતે વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયા સામે 340 રન બનાવ્યા હતા, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર છે. આ પીચ પર ટીમ ઈન્ડિયાએ ત્રણમાંથી એક મેચ જીતી છે. મેચના દિવસે રાજકોટમાં આકાશ વાદળછાયું રહેવાની આગાહી છે. જો કે, વરસાદથી કોઈ વિક્ષેપ સર્જાય તેવી ધારણા નથી. મેચના બે દિવસ બાદ વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાનો અંદાજ છે.

વિરાટ-રોહિત બુમરાહ અને પંડ્યાની થશે વાપસી
ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ ત્રીજી વનડેમાં વાપસી કરશે. ઉપરોક્ત ખેલાડીઓને પ્રથમ 2 વન-ડેમાં આરામ આપવામાં આવ્યો હતો. ઓપનર શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુર ત્રીજી વનડેમાં જોવા મળશે નહીં. ઝડપી બોલર જસપ્રિત બુમરાહની વાપસી થશે, જે મોહાલી વન-ડે પછી પોતાના ઘરે પરત ફર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news