બુમરાહને મળશે પોલી ઉમરીગર એવોર્ડ, આ લોકોનું પણ સન્માન કરશે બીસીસીઆઈ

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર પુરસ્કાર (બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર 2018-2019)થી સન્માનિત કરવામાં આવશે. તો મહિલા ક્રિકેટમાં આ એવોર્ડ પૂનમ યાદવને આપવામાં આવશે. 

બુમરાહને મળશે પોલી ઉમરીગર એવોર્ડ, આ લોકોનું પણ સન્માન કરશે બીસીસીઆઈ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર પુરસ્કાર (બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર 2018-2019)થી સન્માનિત કરવામાં આવશે. બુમરાહને આ એવોર્ડ મુંબઈમાં આજે યોજાનારા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના વાર્ષિક પુરસ્કાર સમાહોરમાં વર્ષના સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે આ એવોર્ડથી નવાજમાં આવશે. આ સિવાય  સમારોહમાં ચેતેશ્વર પૂજારા અને મયંક અગ્રવાલને પણ સન્માનિત કરવામાં આવશે. 

વર્લ્ડના નંબર વન વનડે બોલર બુમરાહે પાછલા વર્ષે જાન્યુઆરીમાં આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ પર્દાપણ કર્યું હતું. ત્યારબાદથી તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝમાં એક ઈનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ (5  લવિકેટ હોલ) લઈને ઈતિહાસ રચ્યો છે. તે આમ કરનાર પ્રથમ એશિયન બોલર બન્યો છે. તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, જે ઓસ્ટ્રેલિયામાં રમાઇ હતી તેમાં ઓસ્ટ્રેલિયા  વિરુદ્ધ 2-1થી ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

મહિલાઓમાં પૂનમને એવોર્ડ
જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર એવોર્ડની સાથે-સાથે 2018-2019માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવા માટે દિલીપ સરદેસાઈ પાસેથી એવોર્ડ મળશે. પુરૂષ ટીમમાં જ્યાં બુમરાહને બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર માટે પસંદ કરવામાં આવ્યો તો મહિલા ટીમમાં પૂનમ યાદવને આ એવોર્ડ આપવામાં આવશે. 

આ ખેલાડીને પણ મળશે સન્માન
પૂર્વ ભારતીય કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંત અને અંજૂમ ચોપડાને ક્રમશઃ કર્નલ સીકે નાયડૂ લાઇફ ટાઇમ અચીવમેન્ટ અને બીસીસીઆઈ લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને યુવા ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલનનું પણ સન્માન કરવામાં આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news