Vastu Tips: તમારા ઘરમાં આ વસ્તુ ખોટી જગ્યાએ મૂકી હશે તો થશે જિંદગીભર પૈસાની તંગી!

Kainchi rakhne ka vastu shastra: આજકાલ લોકો વાસ્તુ ટીપ્સને બહુ જ અનુસરે છે. જો તમારા ઘરમાં નાની-મોટી વસ્તુઓ રાખવા માટે યોગ્ય જગ્યા હોવી જોઈએ. નહીં તો માનસિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાંથી એક વસ્તુ કાતર પણ છે.

Vastu Tips: તમારા ઘરમાં આ વસ્તુ ખોટી જગ્યાએ મૂકી હશે તો થશે જિંદગીભર પૈસાની તંગી!

Vastu for Scissors: આજકાલ દરેક ઘરમાં કાતર હોય છે જે ખૂબ જ જરૂરી છે પરંતુ જો કાતર રાખવાની દિશા ખોટી હોય તો તમારા જીવનમાં અનેક પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમે આ સમસ્યાઓનું કારણ પણ સમજી શકશો નહીં. વાસ્તવમાં, કાતરની ખોટી દિશા ફક્ત તમારા સ્વાસ્થ્યને જ અસર કરતી નથી, તેનાથી બાળકો પર પણ વિપરીત અસર પડે છે અને આર્થિક નુકસાન પણ થાય છે.

કાતરનો કેતુ સાથે છે સંબંધ
કાતર એક ધારદાર વસ્તુ છે જે કેતુનું પ્રતિક માનવામાં આવે છે, જો કેતુ તમારી કુંડળીમાં ખરાબ હોય તો તમારે આવી તીક્ષ્ણ ચીજવસ્તુઓને ઘરમાં યોગ્ય દિશામાં રાખવી જોઈએ. તેને યોગ્ય દિશામાં રાખવાથી ઘર ખુશીઓથી ભરાઈ જશે અને બાળકો માટે પણ સારું રહેશે, તમને જિંદગીભર કોઈ આર્થિક સમસ્યા પણ નહીં થાય.

ખતરનાક છે કાટ લાગેલી ધારદાર અને તીક્ષ્ણ ચીજો
જો કોઈ ધારદાર અથવા તીક્ષ્ણ વસ્તુને કોઈ કારણસર કાટ લાગી ગયો હોય તો તેને ભૂલથી પણ ઘરમાં ન રાખવો જોઈએ. તેમાં કાતર, છરી તેમજ તીક્ષ્ણ ખીલ્લા કે ખીલી વગેરેનો સમાવેશ થઈ શકે છે. આવી કાટવાળી વસ્તુઓ ઘરમાં રાખવાથી તમારો કેતુ બગડે છે, તેથી આવી વસ્તુઓને તરત જ ઉપાડીને ઘરની બહાર ફેંકી દો. શુભ કેતુ જીવનમાં શાંતિ જ નહીં પણ સુખ પણ આપે છે.

કાતર રાખવાની સાચી દિશા
કાતર રાખવાની સાચી દિશા દક્ષિણ-પશ્ચિમ છે. કાતરની સાથે સાથે કોઈપણ ધારદાર ચીજ, તીક્ષ્ણ વસ્તુ, ટૂલ બોક્સ વગેરે પણ આ દિશામાં રાખવા જોઈએ. તેને હંમેશા ઢાંકીને અથવા બોક્સમાં રાખો. જો જગ્યા ન હોય તો તેને ઉત્તર-પશ્ચિમમાં પણ રાખી શકાય છે, પરંતુ ધ્યાન રાખો કે તેને ઢાંકીને રાખવાનું છે. તેને ક્યારેય લટકાવવું ન જોઈએ એટલે કે તેની ટોચ લટકતી ન હોવી જોઈએ.

ખોટી જગ્યાએ રાખવાથી થશે નુકસાન 
યોગ્ય દિશામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ જીવનમાં સુખ-શાંતિ લાવે છે. બાળકોની પ્રગતિ અને આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે. જો આકસ્મિક રીતે ઉત્તર-પૂર્વ દિશામાં કાતર મૂકવામાં આવે તો માનસિક અશાંતિ અને મૂંઝવણ ચાલુ રહે છે. કારણ કે ઉત્તર-પૂર્વ દિશા ચંદ્રનું સ્થાન છે અને ચંદ્ર મનનો કારક છે. તેથી, આ સ્થાન પર કાતર રાખવાથી માનસિક તણાવ થાય છે અને સંબંધો પર નકારાત્મક અસર પડે છે. ઘરમાં આર્થિક તંગી, અશાંતિ અને પરેશાની છે. પશ્ચિમ દિશામાં કાતર રાખવાથી માતાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે. તમારે આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news