જોતા જ ચિતરી ચઢે છે એવી ગરોળી તમને બનાવી શકે છે અદાણી-અંબાણી જેવા ધનકુબેર!

Shukan Shastra: ઘરમાં ગરોળી જોવા મળે કે તુરંત જ તેને ભગાડવાના ઉપાય કરવામાં આવે છે પરંતુ શુકનશાસ્ત્રમાં કહેવાયું છે કે શરીરના કેટલાક અંગો ઉપર અચાનક ગરોળી પડે તો તે શુભ સંકેત છે. ગરોળીનું શરીર પર પડવું આવનાર સમયમાં થનાર લાભ તરફ સંકેત કરે છે. 

જોતા જ ચિતરી ચઢે છે એવી ગરોળી તમને બનાવી શકે છે અદાણી-અંબાણી જેવા ધનકુબેર!

Shukan Shastra: સામાન્ય રીતે આપણાં ઘરમાં કે ઓફિસમાં ક્યાંય પણ કોઈ પણ જીવડા દેખાય તો આપણને અરૂચી થઈ જાય છે. તુરંત જ આપણે એ સ્થળ પરથી તેને ભગાડવાની કોશિશ કરીએ છીએ. એમાંય જો વાત ગરોળીને હોય તો તો...તુરંત જ આપણે પણ ત્યાંથી ઉભા થઈ જઈએ છીએ. ગરોળીથી આટલી બધી ચિતરી ચઢતી હોય છે પણ શું તમે જાણો છોકે, એ જ ગરોળી તમારી કિસ્મત બદલી શકે છે. એ જ ગરોળી તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગરોળીના ઘણાં ટોટકા પણ કરવામાં આવતા હોય છે. જોકે, કોઈ ઉપાય પણ ન કરતો તેમ છતાં જો ગરોળી તમારા પર પડે અને એ સમયનું મુહૂર્ત જો યોગ્ય હોય તો તમારી નૈયા પાર લાગી શકે છે. કહેવાય છેકે, જો ધનતેરસના દિવસે તમારી પીઠ પર ગરોળી પડે તો તમે ન્યાય થઈ જશો. ઘરમાં ફરતી ગરોળી અચાનક જો કોઈ વ્યક્તિના શરીર પર પડે તો તેનાથી તેને લાભ થશે કે નુકસાન તેનો સંકેત મળે છે. શરીરના કયા અંગ ઉપર ગરોળી પડે તો શુભ માનવામાં આવે છે અને કયા અંગ પર ગરોળીનું પડવું અશુભ છે જાણો...

ગરોળી એવો જીવ છે જેનાથી આમ આપણને કોઈ નુકસાન થતું નથી પરંતુ ઘરમાં તેને ફરતા જુઓ કે ડર લાગે. શાસ્ત્રોમાં પણ ગરોળી સાથે જોડાયેલા કેટલાક શુકન અપશુકન વિશે જણાવ્યું છે. ઘરમાં ફરતી ગરોળી અચાનક જો કોઈ વ્યક્તિના શરીર પર પડે તો તેનાથી તેને લાભ થશે કે નુકસાન તેનો સંકેત મળે છે. શરીરના કયા અંગ ઉપર ગરોળી પડે તો શુભ માનવામાં આવે છે અને કઈ અંગ પર ગરોળીનું પડવું અશુભ છે ચાલો આજે તમને પણ જણાવીએ.

- ગરોળી જો માથા પર પડે તો તેને શુભ માનવામાં આવતું નથી. ગરોળીનું માથા પર પડવું સંકેત છે કે ભવિષ્યમાં કોઈ અશુભ ઘટના ઘટી શકે છે. પરંતુ જો ગરોળી ગરદન ઉપર પડે તો સમજવું કે સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થશે. 

- ગરોળી ગાલ ઉપર પડે તો જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. પરંતુ જો ઘરમાં બે ગરોળી ઝગડતી જોવા મળે તો સમજી લેવું કે પરિવારમાં કે મિત્રો સાથે ઝઘડો થઈ શકે છે. 

- આવું ઓછું બને છે પરંતુ જો તમને ગરોળીનો અવાજ સંભળાય તો સમજી લેવું કે આવનારા સમયમાં તમને ખૂબ મોટા સમાચાર મળવાના છે. જો બે ગરોળી ઝગડતી હોય અને તેમાંથી એક તમારા માથા પર પડે તો સમજી લેવું કે તમે ધનવાન બનવાના છો.

- ઘરમાં ગરોળી જોવા મળે કે તુરંત જ તેને ભગાડવાના ઉપાય કરવામાં આવે છે પરંતુ શુકનશાસ્ત્રમાં કહેવાયું છે કે શરીરના કેટલાક અંગો ઉપર અચાનક ગરોળી પડે તો તે શુભ સંકેત છે. ગરોળીનું શરીર પર પડવું આવનાર સમયમાં થનાર લાભ તરફ સંકેત કરે છે. 

- માન્યતા છે કે ગરોળી જો પુરુષના ડાબા અંગ પર પડે તો તેને અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે મહિલાઓના જમણા અંગ પર ગરોળીનું પડવું અશુભ માનવામાં આવે છે. પુરુષો માટે જમણા અંગ પર ગરોળી પડવી અને સ્ત્રીઓ માટે ડાબા અંગ પર ગરોળી પડવી શુભ માનવામાં આવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news