Navratri 2023: રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, ગરબાની સ્થાપના માટે આ 46 મિનિટનો સમય શુભ

Navratri 2023: ધાર્મિક નિષ્ણાંતોના મતે શારદીય નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી 15મી ઓક્ટોબરથી શરુ થશે અને 9 દિવસ દરમિયાન માં દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. નવરાત્રીનો તહેવાર કળશ સ્થાપના સાથે જ શરૂ થાય છે. આ સ્થાપના શુભ મુહૂર્તમાં કરવી જરૂરી હોય છે.

Navratri 2023: રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ, ગરબાની સ્થાપના માટે આ 46 મિનિટનો સમય શુભ

Navratri 2023: સનાતન ધર્મમાં શારદીય નવરાત્રીનો વિશેષ મહિમા છે. આ વર્ષે 15મી ઓક્ટોબર અને રવિવારથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પિતૃપક્ષ પછી આવતી આ નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક નિષ્ણાંતોના મતે શારદીય નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી 15મી ઓક્ટોબરથી શરુ થશે અને 9 દિવસ દરમિયાન માં દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે.

કળશ કે ગરબાની સ્થાપના માટેનો શુભ સમય

આ પણ વાંચો:

 

ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિના પહેલા દિવસે ઘરમાં ગરબા કે કલશની સ્થાપના કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવરાત્રીનો તહેવાર કળશ સ્થાપના સાથે જ શરૂ થાય છે. આ વખતે નવરાત્રિમાં ગરબાની સ્થાપના માટેનો શુભ સમય 15 ઓક્ટોબરે સવારે 11:44 થી બપોરે 12:30 સુધીનો છે. એટલે કે રવિવાર કળશ સ્થાપના માટે માત્ર 46 મિનિટનો શુભ સમય છે.  

કયા દિવસે માતાના કયા સ્વરુપની પૂજા કરવી ?

15 ઓક્ટોબર 2023: મા શૈલપુત્રી 
16 ઓક્ટોબર 2023: મા બ્રહ્મચારિણી 
17 ઓક્ટોબર 2023: મા ચંદ્રઘંટા 
18 ઓક્ટોબર 2023: મા કુષ્માંડા 
19 ઓક્ટોબર 2023: મા સ્કંદમાતા  
20 ઓક્ટોબર 2023: મા કાત્યાયની  
21 ઓક્ટોબર 2023: મા કાલરાત્રી 
22 ઓક્ટોબર 2023: મા મહાગૌરી  
23 ઓક્ટોબર 2023: મહાનવમી  
24 ઓક્ટોબર 2023: વિસર્જન 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news