શનિ-રાહુ યુતિના કારણે 17 ઓક્ટોબર સુધી આ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, સામે આવશે અનેક પડકાર

Shani Gochar 2023: શનિએ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે આ નક્ષત્ર પર રાહુનું આધિપત્ય હોય છે. તેવામાં શનિના આ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી શનિ અને રાહુની યુતિ સર્જાય છે જે 17 ઓક્ટોબર 2023 સુધી રહેશે. જેના કારણે કેટલીક રાશિના લોકોને આ સમય દરમિયાન સાવધાન રહેવું પડશે. 

શનિ-રાહુ યુતિના કારણે 17 ઓક્ટોબર સુધી આ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, સામે આવશે અનેક પડકાર

Shani Gochar 2023: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિને કર્મના ફળના દાતા કહેવામાં આવે છે. 15 માર્ચ ના રોજ શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો અને શતભિષા નક્ષત્રમાં પણ. આ નક્ષત્ર પર રાહુનું આધિપત્ય હોય છે. તેવામાં શનિના આ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી શનિ અને રાહુની યુતિ સર્જાય છે. જે 17 ઓક્ટોબર 2023 સુધી રહેશે. જેના કારણે કેટલીક રાશિના લોકોને આ સમય દરમિયાન સાવધાન રહેવું પડશે. શનિ અને રાહુની યુતિનો પ્રભાવ બધી જ રાશિના લોકો પર પડશે. સારા કર્મ કરનાર લોકોને તેનો શુભ પ્રભાવ મળશે. પરંતુ આ સમય દરમિયાન કેટલીક રાશિના લોકોને ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે ચાલો તમને જણાવીએ કે 17 ઓક્ટોબર સુધી કઈ રાશિના લોકોએ સતર્ક રહેવું જરૂરી છે.

આ પણ વાંચો:

કર્ક રાશિ 

શનિએ જ્યારે શતાભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે ત્યારે કર્ક રાશિના જાતકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ દરમિયાન કામના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે, જે વ્યક્તિની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરશે. ખાનગીક્ષેત્રે નોકરી કરતા લોકોએ પણ આ સમયગાળા દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ. આ લોકોએ 17 ઓક્ટોબર સુધી કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ.

કન્યા રાશિ 

શનિ કન્યા રાશિના લોકોના મનમાં મૂંઝવણ અને ઉથલપાથલ સર્જી શકે છે. આ દરમિયાન વિચાર્યા વગર કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાનું ટાળો. અન્યથા નુકસાન સહન કરવું પડી શકે છે. સખત મહેનત પછી પણ તમને સફળતા નહીં મળે. તમારે ઘરના ખર્ચાઓને પહોંચી વળવા માટે ઉધારી પણ કરવી પડી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને અસર કરશે.

વૃશ્ચિક રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિના લોકોને બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. સરકારી અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. ખોટી રીતે કરેલી કમાણી પરત કરવાનો વારો આવશે. પ્રેમ સંબંધોમાં સાવધાનીથી ચાલવું સારું. નહિંતર સંબંધ તૂટી પણ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાન રહો નહીંતર અકસ્માત થઈ શકે છે.

કુંભ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિમાં શનિ ગોચર કરે છે. તેવામાં આ સમયે આ રાશિના લોકો અહંકારના કારણે પરેશાન થઈ શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે, જેના કારણે પારિવારિક શાંતિમાં ખલેલ પહોંચી શકે છે.  તમારા પ્રિયજનોનો સાથ છોડશો નહીં.
 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news