રાતે સૂતા પહેલા આટલું કરજો, નસીબ ખૂલી જશે, આ ઝાડના પાંદડા પર તમારી ઈચ્છા લખજો

raviwar ke upay : આ કામ રવિવારે જ કરવું. રવિવારે રાતે સૂતા સમયે તમારી ઈચ્છા વડના પાંદડા પર લખવી, અને સોમવારે પાન વહાવી દેવું. પરંતુ તમને એવુ થશે કે આ કામ રવિવારે જ કેમ કરવું

રાતે સૂતા પહેલા આટલું કરજો, નસીબ ખૂલી જશે, આ ઝાડના પાંદડા પર તમારી ઈચ્છા લખજો

Banyan Tree : રૂપિયા કમાવવા માટે પરસેવો પાડવો પડે છે. મહેનત કરવી પડે છે. પરંતું છતાં ક્યારેક એવુ બનતું હોય છે કે કાળી મજૂરી કરીને પણ રૂપિયા હાથ લાગતા નથી. કારણ કે, નસીબ સાથ આપતુ નથી. નસીબ સાથે આપે તો બેડો પાર થઈ જાય, પરંતુ જો નસીબ આડું આવે તો રાજા પણ રંક થઈ જાય. જો નસીબ સાથ ન આપતું હોય ત્યારે કેટલાક ટોટકા કામ કરી જાય છે. જો તમને માલામાલ બનવું હોય તો એક ઉપાય છે. જે રવિવારના દિવસે કરવાનો હોય છે. રવિવારે રાતે આ કામ કરવાથી સૂતેલું નસીબ પણ જાગી જશે. તમારે રવિવારે સૂતા પહેલા આ કામ કરવાનું હોય છે. 

જો રૂપિયા કમાવવા માટે નસીબનો સાથ જોઈતો હોય તો વડનું વૃક્ષ તમારા કામમાં આવી શકે છે. તમારી મનોકામના પૂર્ણ કરવા માટે રવિવારે વડના ઝાડનું તૂટેલું પાન લાવો અને તેના પાન પર તમારી ઈચ્છા લખો. આ પછી સોમવારે સવારે વડના આ પાંદડાને વહેતા પાણીમાં વહાવી દો. આનાથી તમારુ ભાગ્ય બદલાઈ શકે છે અને તમે પૈસાવાળા થઈ શકો છો.

રવિવારે જ કરો આ કામ
આ કામ રવિવારે જ કરવું. રવિવારે રાતે સૂતા સમયે તમારી ઈચ્છા વડના પાંદડા પર લખવી, અને સોમવારે પાન વહાવી દેવું. પરંતુ તમને એવુ થશે કે આ કામ રવિવારે જ કેમ કરવું. તે પાછળનું કારણ એ છે કે, રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત દિવસ ગણાય છે. આ દિવસે તેમની પૂજા કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. તેથી સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવારે આ કામ કરવાથી તમને ફાયદો થશે. સૂર્ય ભગવાનને જળ ચઢાવવું ફળદાયી ગણવામાં આવે છે. તેથી પિતૃદોષમાંથી મુક્ત થવા માટેનો આ દિવસ ઉત્તમ છે.  

આ ઉપરાંત રવિવારે બીજા કામ કરવાથી પણ તમારું ભાગ્ય જાગી જશે. જેમ કે, જો તમે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને કીર્તિ મેળવવા માંગતા હોવ તો રવિવારે પીપળના ઝાડ નીચે લોટનો ચારમુખી દીવો અવશ્ય પ્રગટાવો. આમાં સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ. આનો લાભ તમને જલ્દી મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news