અત્યંત શક્તિશાળી છે આ શિવ મંત્ર, શ્રાવણ મહિનામાં નિયમિત કરશો જાપ તો મનની ઈચ્છા થશે પુરી

Powerful Shiv Mantra: શ્રાવણ મહિના દરમિયાન ભોળાનાથની વિધિ વિધાથી પૂજા કરવાથી જીવનના બધા જ કષ્ટ દૂર થાય છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિના દરમિયાન મહાદેવની પૂજા કરવાની સાથે કેટલાક મંત્રોનો જાપ કરવાથી પણ ફાયદો થાય છે. શાસ્ત્રોમાં એવા ચમત્કારી અને અચૂક મંત્ર જણાવાયા છે જે મહાદેવને અતિપ્રિય છે અને અત્યંત ચમત્કારી છે.

અત્યંત શક્તિશાળી છે આ શિવ મંત્ર, શ્રાવણ મહિનામાં નિયમિત કરશો જાપ તો મનની ઈચ્છા થશે પુરી

Powerful Shiv Mantra: વર્ષ દરમિયાન આવતા આ સમયમાં ભગવાન શિવ સૃષ્ટિનું સંચાલન કરે છે. આજ કારણ છે કે શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ હોય છે. શ્રાવણ મહિના દરમિયાન ભોળાનાથની વિધિ વિધાથી પૂજા કરવાથી જીવનના બધા જ કષ્ટ દૂર થાય છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિના દરમિયાન મહાદેવની પૂજા કરવાની સાથે કેટલાક મંત્રોનો જાપ કરવાથી પણ ફાયદો થાય છે. શાસ્ત્રોમાં એવા ચમત્કારી અને અચૂક મંત્ર જણાવાયા છે જે મહાદેવને અતિપ્રિય છે અને અત્યંત ચમત્કારી છે. આ મંત્રોનો નિયમિત જાપ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ કયા છે આ શક્તિશાળી શિવ મંત્ર.

શક્તિશાળી શિવ મંત્ર

આ પણ વાંચો

મહામૃત્યુંજય મંત્ર

ॐ ત્રયમ્‍બકં યજામહે સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્

શિવ ગાયત્રી મંત્ર

ॐ તત્પુરુષાય વિદ્મહે, મહાદેવાય ધીમહિ, તન્નો રુદ્ર પ્રચોદયાત્

શિવ સ્તોત્રમ 

ॐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર: પ્રચોદયાત

શિવ તારક મંત્ર

ॐ એં હ્રીં ક્લીં ચામુડાંયૈ વિચ્ચે

શિવ ઉપાસનાના સરળ મંત્ર

જો તમે શિવ કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો કેટલાક સરળ શિવ મંત્રોનો જાપ પણ નિયમિત કરી શકો છો. આ સરળ શિવ મંત્રો પણ અત્યંત પ્રભાવશાળી છે. આ મંત્ર નીચે દર્શાવ્યાનુસાર છે. 

શ્રી શિવાય નમ:
શ્રી શંકરાય નમ:
શ્રી મહેશવરાય નમ:
ॐ નમો ભગવતે રુદ્રાય

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news