હસ્તરેખાશાસ્ત્ર! તમારા હાથની હથેળીમાં આવી હશે રેખાઓ તો લગ્ન પછી સાસરીમાં આવશે મુશ્કેલીઓ

હસ્તરેખાશાસ્ત્રમાં લગ્ન રેખાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. હાથની નાની આંગળીની નીચે બુધ પર્વત પર હથેળીમાંથી બહાર જતી રેખાને લગ્ન રેખા કહે છે. કેટલાક લોકોના હાથમાં લગ્નની રેખાઓની સંખ્યા આનાથી પણ વધુ હોય છે.

હસ્તરેખાશાસ્ત્ર! તમારા હાથની હથેળીમાં આવી હશે રેખાઓ તો લગ્ન પછી સાસરીમાં આવશે મુશ્કેલીઓ

hastrekha shastra: ઘણા લોકો આ બાબતોને માનતા નથી હોતા પણ કેટલાક લોકો આ બાબતો પર આંધળો વિશ્વાસ કરે છે. ઘણાને ટેવ હોય છે કે રોજ સવારે ટીવી અને અખબારમાં રાશિ ભવિષ્ય વાંચીને કે જોઈને જ ઘરની બહાર નીકળી છે.  હસ્તરેખાશાસ્ત્રમાં લગ્ન રેખાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. હાથની નાની આંગળીની નીચે બુધ પર્વત પર હથેળીમાંથી બહાર જતી રેખાને લગ્ન રેખા કહે છે. કેટલાક લોકોના હાથમાં લગ્નની રેખાઓની સંખ્યા આનાથી પણ વધુ હોય છે. આ રેખા પરના સંકેતો જણાવે છે કે તમારું લગ્નજીવન કેવું જશે. આવનારા જીવનના મહત્વના રહસ્યો તમારી હથેળીની રેખાઓમાં છુપાયેલા છે. આના દ્વારા તમે જાણી શકો છો કે તમારું લગ્ન જીવન કેવું રહેવાનું છે.

જીવનસાથીનું અકાળે મૃત્યુ થઈ શકે છે
કોઈના હાથમાં વિવાહ રેખા પર ક્રોસ હોવું અશુભ માનવામાં આવે છે. આવા ચિહ્નો તમારા જીવનમાં અલગ થવા અથવા મૃત્યુ સૂચવે છે. એવું માનવામાં આવે છે કે આવી નિશાની ધરાવતી વ્યક્તિના જીવનસાથીનું અકાળે મૃત્યુ થઈ શકે છે. લગ્ન રેખાને સ્પર્શ કરતી વખતે જો લગ્ન રેખાની ઉપર ક્રોસનું નિશાન હોય તો તે દર્શાવે છે કે પત્નીને જીવનમાં કસુવાવડનો સામનો કરવો પડી શકે છે.

લગ્ન પછી મળે છે ભરપૂર રૂપિયા
જો સૂર્ય પ્રદેશ તરફ જતી લગ્ન રેખાના અંતમાં નક્ષત્રનું ચિહ્ન હોય તો આવા લોકોના લગ્ન ઉચ્ચ પરિવારમાં થાય છે. કહેવાય છે કે આવા લોકોનું ભાગ્ય લગ્ન પછી ખુલે છે. લાઈફ પાર્ટનર મળ્યા પછી એટલે કે લગ્ન પછી આવા લોકોનું નસીબ ચમકે છે અને તેમને ભરપૂર પૈસા મળે છે.

લગ્ન નજીકના સંબંધમાં થાય છે
જો કોઈ વ્યક્તિના હાથમાં લગ્ન રેખા દ્વીપ જેવા નિશાન પર સમાપ્ત થાય છે, તો એવું માનવામાં આવે છે કે લગ્ન ક્યાંક ઓળખાણ અથવા નજીકના સંબંધમાં થશે. બીજી તરફ લગ્ન રેખાની મધ્યમાં દ્વીપનું નિશાન હોય તો તે દર્શાવે છે કે વિવાહિત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.

જીવનસાથી તરફથી વૈવાહિક સુખ મળે
જો કોઈના હાથમાં લગ્ન રેખાની ઉપર વર્ગનું નિશાન હોય તો આવા લોકોને વૈવાહિક સુખ પ્રાપ્ત થાય છે. આ નિશાની સૂચવે છે કે તમારા જીવનસાથી સાથે બધું બરાબર ચાલી રહ્યું છે અને બંને વચ્ચે સારું ટ્યુનિંગ છે.

વાહન ચલાવતા ખાસ સાવચેતી રાખવી
જો લગ્ન રેખા પર કાળા બિંદુઓ હોય તો એવું માનવામાં આવે છે કે જીવનસાથીનું અકસ્માતમાં મૃત્યુ થઈ શકે છે. આવા લોકોએ ઘરની બહાર નીકળતી વખતે ખૂબ જ સાવચેતીપૂર્વક મુસાફરી કરવી જોઈએ. ખાસ કરીને જ્યારે તમે જાતે વાહન ચલાવતા હોવ અથવા બાઇક ચલાવતા હોવ.

(Disclaimer- અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24kalak આની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news