Navratri 2022: નવરાત્રિના ઉપવાસમાં ઘરે જ બનાવો આ મજેદાર ફરાળી વાનગીઓ, અહીં જાણો રેસિપી

નવરાત્રિમાં જો તમે પણ ઉપવાસ કરવાના છો અને ઉપવાસમાં શું ફરાળ ખાશો તે વિચારી રહ્યા છો તો આજે અમે તમને અમુક ફરાળી ડિશની રેસિપી વિશે જણાવીશુ.

Navratri 2022: નવરાત્રિના ઉપવાસમાં ઘરે જ બનાવો આ મજેદાર ફરાળી વાનગીઓ, અહીં જાણો રેસિપી

Navratri Vrat Recipe: નવરાત્રિના પર્વને હવે માત્ર ગણતરીન દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રિમાં ઘણા લોકો ઉપવાસ કરતાં હોય છે. તો કેટલાક લોકો એક ટાઈમ જમીને માતાજીની પૂજા કરતાં હોય છે. ત્યારે નવરાત્રિના ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ઘણી વાનગીઓ છે. તમે સામાન્ય રીતે અનેક ફરાળી વાનગીની રેસિપી વિશે સાંભળ્યું હશે. પણ આ 9 દિવસના ઉપવાસમાં તમે એકને એક ડિશ જમીને કંટાળી ન જાવ તે માટે આજે અમે તમને વિશેષ પ્રકારની ફરાળી વાનગીની આજે રેસિપી બતાવીશુ.  ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે.

નવરાત્રિમાં જો તમે પણ ઉપવાસ કરવાના છો અને ઉપવાસમાં શું ફરાળ ખાશો તે વિચારી રહ્યા છો તો આજે અમે તમને અમુક ફરાળી ડિશની રેસિપી વિશે જણાવીશુ.

ફરાળી હાંડવોઃ
સામગ્રી-
બટાકાની છીણ
1 કપ પલાળેલા સાબુદાણા
1/2 કપ રાજગરો
1/2 કપ શિંગોડાનો લોટ
2 ચમચી સિંગદાણાનો ભૂકો
1 ચમચી દહીં-ખાંડ
1 ચમચી આદું-મરચાંની પેસ્ટ
1/2 ચમચી તજ-લવિંગનો ભૂકો
લાલ મરચું સ્વાદાનુસાર
મીઠું સ્વાદાનુસાર

બનાવવાની રીત-
ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી તેમાં પાણી નાખી જાડું ખીરું તૈયાર કરવું. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં જીરું નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં એક, ચમચી તલ નાખવા. ત્યાર બાદ લીમડો નાખવો. પછી બનાવેલું ખીરામાંથી પુડલા જેવું પાથરવું. ધીમો ગેસ રાખવો. ડીશ ઢાંકી દેવી. પાંચ મિનીટ રાખવું. પછી, પલટાવીને પાંચ મિનીટ રાખવું. પૂડા જેવો હાંડવો થશે.

ફરાળી શક્કરપારાઃ
મેંદાના કે ઘઉંના લોટના શક્કરપારા ખાઘા હશે પરંતુ આજે અમને આપને ફરાળી સ્વાદિષ્ટ શક્કરપારાની રેસિપી જણાવી રહ્યાં છે. આપ બટાટામાંથી સ્વાદિષ્ટ શક્કરપારા બનાવી શકો છો. નવેય દિવસ આ ફૂડ આપને ગમે ત્યારે ક્રેવિંગ થાય ભૂખ લાગે ત્યારે ઉપયોગી થઇ શકે છે.

સામગ્રી-
4થી 5 નંગ બટાટા
1 ચમચી ફૂદિનાનો પાવડર
છીણેલા લાલ મરચાં
2 ચમચી ઘઉંનો લોટ
મીઠું સ્વાદ અનુસાર
તેલ 

બનાવવાની રીત-
સૌપ્રથમ બટાટાને છોલીને તેના જાડા લાંબા ટુકડા કરી લો. બે-ત્રણ પાણી બદલીને તેને ધોઈને સાફ કરો. હવે તેને એકદમ ઠંડા બરફના પાણીમાં એકથી દોઢ કલાક સુધી પલાળી દો. ત્યારબાદ તેનું પાણી ગાળી લો અને તેને કપડા પર થોડી વાર માટે ફેલાવી દો. તેના પર કોળુંના લોટને  છાંટીને તેને ગરમ તેલમાં તળી લો,  તેને ડીપ ફ્રાય કરો.  અને આછો સોનેરી થાય ત્યાં સુધી તેને તળો. હવે તેના પર રોક મીઠું, બરછટ પીસેલું લાલ મરચું, ફુદીનો પાવડર છાંટવો.

ફરાળી સાબુદાણાના વડાઃ
સામગ્રી-
1/2 કપ સાબુદાણા
1 કપ બાફેલા, છોલીને મસેલા બટાટા
1/3 કપ શેકેલી મગફળી, હલકો ભુક્કો કરેલી
1/2 ચચી જીરૂ
1 ચમચી આદુની પેસ્ટ
1/2 ચમચી લીંબુનો રસ
મીઠું સ્વાદ અનુસાર
તેલ

બનાવવાની રીતઃ
સાબુદાણા સાફ કરી, ધોઇને અંદાજે 1/3 કપ પાણીમાં લગભગ 4 થી 5 કલાક અથવા સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પલાળી રાખો. ત્યારબાદ તેમાં બાકી રહેલી વસ્તુઓ નાખીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના 8 સરખા ભાગ કરીને દરેક ભાગને ગોળ ચપટો આકાર આપી વડા બનાવવા.એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપે વડા તળવા અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા અને ત્યારબાદ તેને ટીશ્યુ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ શોષાઈ જાય. તો તૈયાર છે સાબુદાણાના વડા તેને લીલી ચટણી અને મીઠા દહીં સાથે ખાઈ શકો છો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news