આવનારા 17 દિવસ આ રાશિઓ માટે વરદાન સમાન, સૂર્ય દેવ બનાવી દેશે માલામાલ

Surya Gochar: સૂર્ય દેવ 31 માર્ચે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે, સૂર્યની ચાલ શુભ થતા ભાગ્યનો ભરપૂર સાથ મળે છે અને વ્યક્તિ માન-સન્માન પણ પ્રાપ્ત કરે છે.

આવનારા 17 દિવસ આ રાશિઓ માટે વરદાન સમાન, સૂર્ય દેવ બનાવી દેશે માલામાલ

Sun Transit 2024: દર મહિને સૂર્ય ગોચર થાય છે. ગ્રહોના રાજા મીન રાશિમાં બિરાજમાન છે. આવનારા 17 દિવસ સુધી સૂર્ય દેવ મીન રાશિમાં જ ગોચર કરશે. સૂર્ય દેવ 31 માર્ચે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્યની ચાલ શુભ હોય તો ભાગ્યનો ભરપૂર સાથ મળે છે અને વ્યક્તિ માન-સન્માન મેળવે છે. સૂર્ય આગામી રાશિ પરિવર્તન 13 એપ્રિલે કરશે. આવો જાણીએ સૂર્યનું ગોચર કયાં જાતકોનું ભાગ્ય ચમકાવશે. 

વૃષભ રાશિ
મીન રાશિમાં સૂર્યનું ગોચર વૃષભ રાશિના જાતકોને લાભ આપશે. તમારા અટવાયેલા કામ થવા લાગશે. કરિયરમાં પ્રમોશન મેળવવા માટે તમને ઘણા જરૂરી ટાસ્ક મળી શકે છે, જેને તેમે સારી રીતે પૂરા કરશો. સમૃદ્ધિનું આગમન થશે. કામના સિલસિલામાં વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર પણ મળશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. 

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું મીન રાશિમાં ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. વેપારના ક્ષેત્રમાં તમને વિદેશી ડીલ મળી શકે છે. લાઇફ પાર્ટનરની સાથે ચાલી રહેલી મુશ્કેલી ધીમે-ધીમે સમાપ્ત થઈ જશે. સૂર્યના શુભ પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર થઈ શકે છે. 

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે રાજા સૂર્યનું આ ગોચર ફળયાદી માનવામાં આવી રહ્યું છે. તમારી આર્થિક સ્થિતિમાં પહેલાથી સુધાર થશે. ખર્ચ વધી શકે છે. તેથી તમારે બજેટનું ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન નવા કાર્યની શરૂઆત શુભ રહેશે. લગ્ન જીવન મધુર રહેશે. 

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news