Budhwar Upay: દરેક સમસ્યાથી મુક્તિ અપાવશે બુધવારે કરેલા આ ઉપાય, ગણેશજી દુર કરશે જીવનના કષ્ટ

Budhwar Upay: બુધવારનો દિવસ ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહને પણ સમર્પિત છે. બુધ ગ્રહ બુદ્ધિ, એકાગ્રતા, વાણી, સુંદરતાનો કારક છે. જો કુંડળીમાં બુધ નબળો હોય તો જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. આવી સ્થિતિમાં બુધવારે કેટલાક ઉપાય કરવાથી આવી સમસ્યાથી છુટકારો મળી શકે છે.

Budhwar Upay: દરેક સમસ્યાથી મુક્તિ અપાવશે બુધવારે કરેલા આ ઉપાય, ગણેશજી દુર કરશે જીવનના કષ્ટ

Budhwar Upay: શાસ્ત્રો અનુસાર સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી- દેવતાને સમર્પિત છે. જે અનુસાર બુધવારનો દિવસ પ્રથમપૂજ્ય ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી વિધ્નહર્તા પ્રસન્ન થાય છે વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર કરે છે. ગણપતિજીને પ્રસન્ન કરવા માટે લોકો બુધવારે વ્રત પણ કરે છે. બુધવારનો દિવસ ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહને પણ સમર્પિત છે. બુધ ગ્રહ બુદ્ધિ, એકાગ્રતા, વાણી, સુંદરતાનો કારક છે. જો કુંડળીમાં બુધ નબળો હોય તો જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. આવી સ્થિતિમાં બુધવારે કેટલાક ઉપાય કરવાથી આવી સમસ્યાથી છુટકારો મળી શકે છે.

આ પણ વાંચો:

બુધવારના ચમત્કારી ઉપાયો

- બુધવારે લીલા રંગની વસ્તુઓનો ઉપયોગ કરવો શુભ છે અને જો બુધ ગ્રહ નબળો હોય તો પોતાની સાથે હંમેશા લીલા રંગનો રૂમાલ રાખવો અથવા બુધવારે લીલા મગની દાળનું દાન કરવું.

- બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે. બુધવારે ગણેશજીને દુર્વા અર્પણ કરવી જોઈએ. જો તમે દર બુધવારે ગણેશજીને 21 દુર્વાની ગાંઠ અર્પણ કરશો તો જીવનમાં આવેલા સંકટ દુર થવા લાગે છે.

- જો કુંડળીમાં બુધ દોષ હોય તો બુધવારે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ. આ સિવાય રોજ 5, 7, 11, 21 અથવા 108 વખત 'ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે' મંત્રનો જાપ કરવો જોઈએ.

- બુધ દોષને દૂર કરવા માટે બુધવારે જ્યોતિષની સલાહ લઈ હાથની સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરવો જોઈએ.   

- જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે બુધવારે ગાયને લીલુ ઘાસ ખવડાવવું જોઈએ. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news