Diwali ke totke: દિવાળી પર દેવી લક્ષ્મીને કરો આ 6 ઉપાય, ક્યારેય નહીં થાય ધનની કમી

Maa lakshmi: દિવાળી પર ભગવાન ગણપતિની સાથે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમારે કોઈપણ વિચાર કર્યા વિના અહીં આપવામાં આવેલી કેટલીક ટિપ્સને અનુસરવી પડશે, તમે જાતે જ ચમત્કારિક પરિણામો જોવા લાગશો.

Diwali ke totke: દિવાળી પર દેવી લક્ષ્મીને કરો આ 6 ઉપાય, ક્યારેય નહીં થાય ધનની કમી

Vastu shastra tips for money: આજના સમયમાં કોણ નથી ઈચ્છતું કે તેની તિજોરી હંમેશા ભરેલી રહે, તેની પાસે ક્યારેય પૈસાની અછત ન થાય, કારણ કે એક કહેવત છે કે પૈસા વગર બધું જ નકામું છે. જીવનની સામાન્ય જરૂરિયાતો પણ પૂરી કરવી મુશ્કેલ બની જાય છે. દિવાળી પર ભગવાન ગણપતિની સાથે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમારે કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વિના અહીં આપવામાં આવેલી કેટલીક ટિપ્સને અનુસરવી પડશે, તમે જાતે જ ચમત્કારિક પરિણામો જોવા લાગશો.

દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય
1. દિવાળીના દિવસે અશોક વૃક્ષની પુજા કરવી જોઈએ, આવું કરવાથી ઘરમાં ધન-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
2. દિવાળીના દિવસે પુજા કર્યા બાદ શંખ અને ડમરૂ વગાડવાથી ઘરમાં ગરીબી દૂર થાય છે અને લક્ષ્મીજીનું આગમન થાય છે.
3. દિવાળીના દિવસે બઝારમાંથી નવી સાવરણી ખરીદીને લાવો, પુજા પહેલા તેનાથી પુજા સ્થાનની સફાઈ કરીને તે સાવરણીને એવા સ્થાન પર રાખી દો કે તે કોઈને ના દેખાય. બીજા દિવસથી ઘરની સફાઈમાં તે સાવરણીનો ઉપયોગ કરો, તેનાથી ગરીબીનો નાશ થશે અને લક્ષ્મીજીની કૃપા રહેશે.
4. દિવાળી પર ઘરના મુખ્ય દરવાજાને તાજા ફૂલોથી શણગારવા સાથે પોતાના પરિવારના પૂર્વજોની તસવીર ઉપર પણ તાજા ફૂલોની માળા અવશ્ય પહેરાવો.
5. દિવાળીના દિવસે પોતાના પૂર્વજોની યાદમાં 11 લોકોને જમવાનું આપવાથી ઘરમાં શાંતિ રહે છે. જો આવું કરવામાં અસમર્થ હોય તો કોઈ એક ગરીબ વ્યક્તિને ભરપેટ ભોજન કરાવો, પરંતુ આવું અવશ્ય કરવું જોઈએ.
6. દિવાળીના દિવસે શ્રી હનુમાનજીના મંદિરમાં લાલ ધજા ચઢાવવાથી ઘર-પરિવારની ઉન્નતિની સાથે ખ્યાતિ મળે છે અને ધન સંપદા વધે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news