ઘરમાં કાળી કીડીનું હોવું શુભ હોય છે કે અશુભ? જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતો

જો તમારા ઘરમાં  કાળી કીડી ની જગ્યા પર લાલ કીડીઓ દેખાય તો તમે  થઈ જજો સાવચેત. લાલ કીડીઓ નું  ઘરમાં હોવું  અશુભ હોવાનો સંકેત માનવામાં આવે છે. લાલ કીડીઓ ભવિષ્યની મુશ્કેલીઓ, વિવાદો, નાણાંનો ખર્ચ પણ સૂચવે છે. કર્મની પ્રાધાન્યતા ના  વચ્ચે ભાગ્યનો એક અલગ મહિમા છે.

ઘરમાં કાળી કીડીનું હોવું શુભ હોય છે કે અશુભ? જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતો

નવી દિલ્હીઃ જો તમારા ઘરમાં  કાળી કીડી ની જગ્યા પર લાલ કીડીઓ દેખાય તો તમે થઈ જજો સાવચેત. લાલ કીડીઓ નું  ઘરમાં હોવું  અશુભ હોવાનો સંકેત માનવામાં આવે છે. લાલ કીડીઓ ભવિષ્યની મુશ્કેલીઓ, વિવાદો, નાણાંનો ખર્ચ પણ સૂચવે છે. કર્મની પ્રાધાન્યતા ના  વચ્ચે ભાગ્યનો એક અલગ મહિમા છે. લોકો ભવિષ્ય ને જાણવા માટે જ્યોતિષશાસ્ત્રનો સહારો લે છે. ભારતમાં જ્યોતિષવિદ્યાના નિષ્ણાતો માને છે કે જીવનની દરેક ઘટના ભાગ્ય અને કર્મના તાર સાથે જોડાયેલી હોય છે. આવી સ્થિતિમાં કેટલાક જ્યોતિષીઓ એવું પણ માને છે કે આપણી આસપાસ બનતી ઘટનાઓ થી સંબંધિત ચિહ્નો થોડા વહેલા મળવા લાગે છે. તેને ઓળખવા માટે આતુર આંખની જરૂર છે.
 
કીડીનું બહાર નીકળવું શું સૂચવે છે?
તે લોકો કે જેમ ની છઠ્ઠી ઇન્દ્રિય  ભવિષ્યમાં બનનારી વસ્તુઓ માટે સારી રીતે કામ કરે છે. તેવા સંજોગોમાં જો તમારા ઘરમાં કીડીઓ બહાર આવી રહી છે, તો તે તમારા જીવનમાં કોઈ ઘટના બનવાની નિશાની છે. જો તમારા ઘરમાં કાળી કીડીઓ આવી રહી છે. તો ખુશ રહો, હકીકતમાં એવું માનવામાં આવે છે કે જો કાળી કીડીઓ આવે તો ભવિષ્યમાં તમારી ખુશી અને શાંતિ વધશે. બીજી બાજુ, કાળી કીડીઓ પણ તમારી સંપત્તિ ના વધારા સાથે સંકળાયેલી છે.

કાળી કીડીઓને ખવડાવવું શુભ માનવામાં આવે છે. જો ચોખાના વાસણમાંથી કીડીઓ બહાર આવી રહી હોય, તો તે એક શુભ સંકેત છે. તમારા પૈસા થોડા દિવસોમાં વધવાના છે. વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી થશે . કાળી કીડીઓ ભૌતિક સુખ માટે શુભ છે.

જો તમને  લાલ કીડીઓ દેખાય તો સાવધાન રહો:
જો તમારા ઘરમાં ક્યાંય પણ લાલ કીડીઓ દેખાય છે તો સાવચેત રહો. લાલ કીડી ઓને અશુભ ની નિશાની માનવામાં આવે છે. કીડીઓ ભવિષ્યની મુશ્કેલીઓ, વિવાદો, નાણાંનો ખર્ચ પણ સૂચવે છે. જો તમારા ઘરમાં લાલ કીડીઓ આવી રહી છે, તો આમાંથી કોઈપણ અશુભ વસ્તુઓ તમારી સાથે થઈ શકે છે.

જો આવું થાય તો ડરવાની જરૂર નથી:
લાલ કીડીઓ મુખમાં ઈંડું લઈને ઘરની બહાર નીકળે તો એક સારા સંકેત તરીકે તેને જોવામાં આવે છે. કીડીઓના ખાવા માટે વસ્તુ ઓ  મુકવી જોઈએ. જો તમારા ઘરમાં કીડીઓ ભૂખી રહે છે તો તે એક અશુભ સંકેત પણ માનવામાં આવે છે.

 નોંધ- આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતા અને જ્યોતિષીય ચર્ચાઓ પર આધારિત છે. લોકોના હિતને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી છે. આના કોઈ પુરાવા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news