Nepal Earthquake: પશ્વિમ નેપાળમાં 520 વર્ષમાં નથી આવ્યો કોઇ મોટો ભૂકંપ, શું ધ્રૂજતી ધરતી આપી રહી છે 'તાંડવ' નો ઇશારો?

Nepal Earthquake 2023: નેપાળમાં શુક્રવારે આવેલા ભૂકંપના કારણે 150થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે 160થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પછી શનિવારે પણ નેપાળમાં એક પછી એક અનેક ભૂકંપ આવ્યા. સિસ્મોલોજિસ્ટ્સ અનુસાર, હિમાલયના ભૂકંપ સંભવ વિસ્તારમાં આવેલું નેપાળ એવા દેશોમાંથી એક છે જ્યાં ભૂકંપનું સૌથી વધુ જોખમ રહેલું છે અને પશ્ચિમી પહાડી વિસ્તારમાં મોટા ભૂકંપ આવવાની સંભાવના છે. સરકારના પોસ્ટ ડિઝાસ્ટર નીડ્સ એસેસમેન્ટ (PDNA) રિપોર્ટ અનુસાર, નેપાળ ભૂકંપની દ્રષ્ટિએ વિશ્વનો 11મો સૌથી ખતરનાક દેશ છે.
 

1/5
image

જ્યારે શુક્રવારે મોડી રાત્રે નેપાળની પશ્ચિમી પહાડીઓમાં 6.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, તે આ મહિનાનો પહેલો ભૂકંપ નહોતો. સત્તાવાર માહિતી અનુસાર, શુક્રવારે મધ્યરાત્રિની આસપાસ પશ્ચિમ નેપાળમાં આવેલો ભૂકંપ 2023માં આવેલા 70 ભૂકંપમાંથી એક છે.

નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના વરિષ્ઠ સિસ્મોલોજિસ્ટ ભરત કોઈરાલાએ જણાવ્યું હતું કે, 'ભારત અને યુરેશિયા ટેક્ટોનિક પ્લેટ્સ સતત અથડાઈ રહી છે, જે ઘણી ઊર્જા ઉત્પન્ન કરે છે. નેપાળ આ બે પ્લેટોની સરહદ પર છે જે ભૂકંપની દ્રષ્ટિએ અતિસક્રિય વિસ્તારોમાં આવે છે અને તેથી નેપાળમાં ભૂકંપ સામાન્ય છે.

2/5
image

કોઈરાલાએ કહ્યું કે, પશ્ચિમ નેપાળમાં મોટા ભૂકંપનો ખતરો છે. પશ્ચિમ નેપાળમાં છેલ્લા 520 વર્ષોથી કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી. તેથી, ઘણી બધી ઉર્જા એકઠી થઈ ગઈ છે અને તે ઉર્જાને મુક્ત કરવાનો એકમાત્ર રસ્તો ભૂકંપ છે.

કોઈરાલાએ કહ્યું કે, પશ્ચિમ નેપાળના ગોરખા (જિલ્લો) થી ભારતના દેહરાદૂન સુધી ટેકટોનિક હિલચાલને કારણે ઘણી ઊર્જા એકઠી થઈ છે. તેથી, આ વિસ્તારોમાં ઉર્જાનો વ્યય કરવા માટે નાના કે મોટા ભૂકંપ આવતા હોય છે, જે સામાન્ય છે.

3/5
image

વિશ્વની સૌથી નવી પર્વતમાળા, હિમાલયની રચના યુરેશિયન પ્લેટ, તેની દક્ષિણ ધાર પર તિબેટ અને ભારતીય ખંડીય પ્લેટની અથડામણથી થઈ હતી અને તે સદીઓથી ટેકટોનિક પ્રવૃત્તિમાં વિકસતી રહી છે. આ પ્લેટો દર 100 વર્ષે બે મીટર આગળ વધે છે, જેના પરિણામે પૃથ્વીની અંદર સક્રિય ભૌગોલિક ખામીઓમાં સંગ્રહિત ઊર્જા અચાનક છૂટી જાય છે, જેના કારણે પૃથ્વીના પેટાળમાં હલનચલન થાય છે.

4/5
image

ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના ડેટા અનુસાર, નેપાળમાં 1 જાન્યુઆરી, 2023 થી અત્યાર સુધીમાં 4.0 અને તેનાથી વધુની તીવ્રતાના કુલ 70 ભૂકંપ આવ્યા છે. તેમાંથી, 13ની તીવ્રતા પાંચથી છ વચ્ચે હતી જ્યારે ત્રણની તીવ્રતા 6.0થી ઉપર હતી. કોઈરાલાએ જણાવ્યું હતું કે ટેકટોનિક પ્લેટોની હિલચાલ દ્વારા સંચિત ઊર્જાને મુક્ત કરવા માટે સદીઓથી દરરોજ બે કે તેથી વધુ તીવ્રતાના ધરતીકંપો આવી રહ્યા છે.

5/5
image

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભવિષ્યમાં પશ્ચિમ નેપાળમાં મોટા ભૂકંપની સંભાવના છે. તેમણે કહ્યું કે, જાજરકોટ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દાયકાથી કોઈ મોટો કે મધ્યમ ધરતીકંપ આવ્યો નથી, પરંતુ ક્યારે અને કયા સ્કેલ પર ભૂકંપ આવશે તે અમે કહી શકતા નથી.