રસોડામાં ભૂલેચૂકે આ 5 વસ્તુ ન રાખવી... વાસ્તુ મુજબ છે ખુબ જ અશુભ, બરબાદીને ખુલ્લું આમંત્રણ

રસોડાના વાસ્તુમાં કરાયેલી ભૂલ ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે અને તેની ખરાબ અસર સમગ્ર પરિવારે ભોગવવી પડે છે.

નવી દિલ્હી: ઘરની સૌથી મહત્વની જગ્યાઓમાં સૌથી પહેલું નામ રસોડાનું આવે છે. કારણ કે અહીં ભોજન રંધાય છે અને તેનાથી ઉર્જા મેળવીને જ વ્યક્તિનું જીવન ચાલે છે. આથી ધર્મ પુરાણથી લઈને જ્યોતિષ-વાસ્તુ બધામાં રસોડાને લઈને અનેક મહત્વની વાતો કરાઈ છે. રસોડાના વાસ્તુમાં કરાયેલી ભૂલ ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે અને તેની ખરાબ અસર સમગ્ર પરિવારે ભોગવવી પડે છે. આવી સ્થિતિથી બચવા માટે વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક ચીજોને રસોડામાં રાખવાની ખાસ ના પાડવામાં આવી છે. 

તૂટેલા વાસણો

1/5
image

ભાંગેલા તૂટેલા વાસણોનો ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહીં કે તેને રસોડામાં પણ ન રાખવા. કારણ કે આમ કરવું એ બરબાદીને ખુલ્લું આમંત્રણ છે. તૂટેલા ફૂટેલા વાસણો આર્થિક તંગીનું કારણ બને છે. 

દવાઓ

2/5
image

રસોડામાં કેટલાક લોકો દવાઓ, બેન્ડેજ કે ટ્યૂબ વગેરે રાખે છે, જેથી કરીને દાઝ્યા કે કટ પડે તો તરત ઉપચાર કરી શકાય. સુરક્ષાની દ્રષ્ટિથી ઘરમાં ફર્સ્ટ એડ કિટ હોવી જરૂરી છે. પરંતુ તેને રસોડામાં રાખવાની ભૂલ ન કરો. વાસ્તુ મુજબ રસોડામાં દવાઓ રાખવાથી ઘરના મુખિયા હંમેશા બીમાર રહે છે. જ્યારે અન્ય સભ્યોને પણ કોઈને કોઈ બીમારી આવે છે. 

અરીસો

3/5
image

યોગ્ય જગ્યા પર અરીસો લગાવવો એ ઘરમાં પોઝિટિવ એનર્જીને વધારે છે. પરંતુ રસોડામાં અરીસાનો ઉપયોગ એ તબાહીનું કારણ બની શકે છે. આથી કિચનમાં ક્યારેય અરીસો લગાવવો નહીં. તે ઘરમાં ઝઘડા પણ વધારે છે. 

ફાલતું કે એઠાં વાસણો

4/5
image

ઉપયોગમાં ન લેવાતા વાસણો કિચનમાં રાખો તો માતા અન્નપૂર્ણા નારાજ થાય છે. કિચનમાં હંમેશા ઉપયોગી અને સારી વસ્તુઓ રાખવી જોઈએ. આ સાથે જ તેને હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ. રસોડામાં આખી રાત એઠાં વાસણો રાખી મૂકો તો માતા લક્ષ્મી નારાજ થાય છે અને આર્થિક તંગી આવી શકે છે. 

બાંધેલો લોટ

5/5
image

આપણે હંમેશા રોટલી ભાખરી કરવા માટે બાંધેલો લોટ વધી પડે તો તે બાંધેલો લોટ ફ્રિજમાં રાખીને બીજા દિવસે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. વાસ્તુ શાસ્ત્રમાં આ રીતે લોટ રાખી મુકવો એ ખુબ અશુભ ગણાવ્યો છે. આ સાથે જ ચિકિત્સા વિજ્ઞાનમાં તેને કેન્સરનું જોખમ પણ ગણાવ્યું છે. ફ્રિજમાં રાખી મૂકેલા લોટથી ઘર પર શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ પડે છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)