Pics : ઘરના આ ખૂણામાં માત્ર 20 મિનીટ વિતાવવાથી ટેન્શન થઈ જશે છૂમંતર

મહિલાઓ અને પુરુષો બંનેના કામકાજી હોવાને કારણે હવે લોકોને મળતા રહેવું ઓછુ થઈ ગયું છે. જે લોકો મળી શકે છે, તે બહુ જ ખુશીની વાતો કરે છે. કેમ કે આજના સમયમાં આપણે કોઈને પણ પોતાનુ દુખ વ્યક્ત કરવાથી અચકાતા હોઈએ છીએ. લોકોનું કહેવુ છે કે, તેઓ કોઈને પણ પોતાનુ દુખ વ્યક્ત કરશે તો કંઈ ખરાબ થઈ જશે. આ કારણે જ આજકાલ લોકોમાં તણાવનું સ્તર બહુ જ વધી ગયું છે. 

માત્ર 20 મિનીટ સમય કાઢો

1/4
image

જો તમે કોઈ કારણે તણાવમાં છો અને ઈચ્છો છો કે તે જલ્દીથી દૂર થઈ જાય તો તેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. એવી જગ્યાઓ જે પ્રકૃતિનો અહેસાસ કરાવે, ત્યાં માત્ર 20 મિનીટ સમય વિતાવવાથી તમારા તણાવના સ્તરમાં ઘટાડો થઈ શકે છે. રિસર્ચમાં સામે આવ્યું કે, નેચર પિલ્સ માનવ માનવીના હેલ્થ માટે અસરકારક ભૂમિકા ભજવે છે. 

ફ્રન્ટિયર્સ ઈન સાઈકોલોજીનું રિસર્ચ

2/4
image

આ રિસર્ચ જનરલ ફ્રન્ટિયર્સ ઈન સાઈકોલોજીમાં પ્રકાશિત થયું છે. અમેરિકાના મિશિગન યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર મૈરીકોરલ હંટરના જણાવ્યા અનુસાર, આપણે બધા જ જાણીએ છીએ કે તણાવમાં ઘટાડો લાવી સકાય છે. પરંતુ હજુ સુધી એ માલૂમ પડ્યું નથી કે, તેના માટે કેટલો સમય પૂરતો હોય છે. આપણે એવું કેટલો સમય કરીએ અને કેવા પ્રકારનો પ્રાકૃતિક અનુભવ આપણા માટે ફાયદાકારક છે.

હરવા-ફરવાથી તણાવ ઓછો થાય છે

3/4
image

હંટરે પોતાના નિવેદનમાં કહ્યું કે, તેમનું રિસર્ચ જણાવે છે કે, તણાવવાળા હોર્મોન કોર્ટીસોલનું સ્તર પર્યાપ્ત રીતે કામ કરવા માટે આપણે 20 થી 30 મિનીટ એવી જગ્યાએ બેસવાનું રહેશે, ચાલવાનુ રહેશે, જ્યાં પ્રકૃતિનો હોવાનો અહેસાસ થાય.

નેચર પિલ્સ છે મોટો સહાયક

4/4
image

નેચર પિલ્સ, ઓછા ખર્ચાવાળો આ એક એવો ઉપાય છે, જે વધતા ઔદ્યોગિકરણ અને ટીવી વગેરેને જોવાથી અને ઘરમાં બંધ રહેવાને કારણે આપણી હેલ્થ પર પડી રહેલી ખરાબ અસરથી આપણને બચાવે છે.