સુરતની હૃદયદ્રાવક તસવીરોઃ હિબકે ચડ્યું સુરત, ભારે હૈયે લાડકવાયાઓના કરાયા અંતિમ સંસ્કાર, લોકોમાં ભારે રોષ

સુરત શહેરમાં શુક્રવારે સાંજે સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીનાં મોત થયા હતા અને 20 વિદ્યાર્થી ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા ટ્યુશન ક્લાસના સંચાલક, બિલ્ડિંગના બે માલિક બિલ્ડર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાંથી ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની પોલીસે ધરપકડ કરી લીધી છે. 

સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે શોર્ટ સર્કિટ થવાને કારણે અચાનક જ નીચેના ભાગે આગ લાગી હતી. આ આગે જોત-જોતામાં બહારના ભાગમાં ફીટ કરેલી લાકડાની સીડીની ઝપટમાં લીધી અને તેના મારફતે આગ છેક ચોથા માળે આવેલા એક ટ્યુશન ક્લાસમાં પ્રસરી ગઈ હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે, ટ્યુશન ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓને બહાર નિકળવાનો, બચાવા માટે પ્રયાસ કરવાનો સમય જ ન મળ્યો અને આ ભીષણ આગમાં 20 જિંદગી હોમાઈ ગઈ. જે 20 વિદ્યાર્થીનાં મોત થયા તેમાં મોટાભાગની છોકરીઓ હતી અને કેટલીકે તો હજુ ધોરણ-12ની પરીક્ષા આપી હતી અને શનિવારે તેમનું પરિણામ આવ્યું છે. સુરત પોલીસ દ્વારા ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બિલ્ડર હજુ ફરાર છે. 

સુરતની ભયાવહ ઘટના પછી બિલ્ડિંગની આજની તસવીર

1/16
image

સુરતમાં આગ લાગવાની ઘટના પછી અડધા ઉપરનું બિલ્ડિંગ આગની જ્વાળાઓમાં લપેટાઈને ખાખ થઈ ગયું છે. સવારે પોલીસ દ્વારા આ બિલ્ડિંગમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. (ફોટો- ANI)  

ધૂમાડાના ગોટે-ગોટામાં લપેટાયું હતું બિલ્ડિંગ

2/16
image

તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર બિલ્ડિંગ ધૂમાડામાં લપેટાઈ ગયું હતું.   

બહારના ભાગમાં લાકડાની સીડીમાં લાગી આગ

3/16
image

સુરતની આગનું મુખ્ય કારણ બહારના ભાગમાં ફીટ કરાયેલી સીડી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે લાકડાની સીડીને લપેટામાં લીધી હતી અને પછી તેના દ્વારા આગ ઉપરના માળે પહોંચી હતી.   

મડદાઘરમાં જગ્યા ખૂટી પડી

4/16
image

સુરતની હોસ્પિટલમાં રહેલા મડદાઘરમાં મૃતદેહો મુકવાની જગ્યા પણ ખુટી પડી હતી.   

હતભાગીઓના મૃતદેહની લાઈન

5/16
image

સુરતની દુર્ઘટનામાં એક સાથે 20 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જેમાંથી કેટલાકને તો બચવાનો સમય જ ન મળતાં ટ્યુશન ક્લાસમાં જ તેઓ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા. આ મૃતદેહની સ્થિતિ એવી હતી કે એક પણની ઓળખ થઈ શકે એમ ન હતી. આથી, કેટલાક મૃતદેહના તો DNA રિપોર્ટ કર્યા પછી તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. 

પોતાના વ્હાલસોયાને શોધી રહેલા સ્વજન

6/16
image

સુરતની કરૂણાંતિકામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા. કોલ્ડસ્ટોરેજમાં પોતાના વ્હાલસોયાને શોધી રહેલા સ્વજન.   

હતભાગીઓની અંતિમ યાત્રા

7/16
image

સુરતની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓની અંતિમ યાત્રા નિકળતાં સુરત શહેર હિબકે ચડ્યું હતું. 

મોટી સંખ્યામાં લોકો જોડાયા

8/16
image

વિદ્યાર્થીઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.   

હિબકે ચડ્યું સુરત

9/16
image

શુક્રવારની ઘટનાના કારણે સમગ્ર સુરત શહેરમાં શોકનો માહોલ સર્જાયો હતો. સ્મશાનમાં આવેલા લોકોના ચહેરા પર આ કરૂણાંતિકાનું દર્દ સ્પષ્ટપણે જોવા મળતું હતું.   

એક પછી એક અંતિમયાત્રા

10/16
image

જેમ-જેમ મૃતદેહોની ઓળખ થતી ગઈ તેમ-તેમ તેમના પરિજનોને સોંપવામાં આવતા હતા. ટ્યુશન ક્લાસમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ માટાભાગે એક જ વિસ્તારના હોવાથી એક-પછી એક સ્મશાનયાત્રા નિકળતાં લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.   

માતાનું હૈયાફાટ રૂદન

11/16
image

આ ઘટનામાં એક કૃતિ નામની યુવતીનું પણ મોત થયું હતું. પોતાની વ્હાલસોયીનું આવું અકાળે મોત થતાં તેની માતા હૈયાફાટ રૂદન કરતી જોવા મળી હતી.    

ભારે હૈયે આપી વિદાય

12/16
image

કૃતિની માતાએ અત્યંત ભારે હૈયે પોતાની વ્હાલસોયી દિકરીને અંતિમ વિદાય આપી હતી.   

વિપક્ષી નેતા પરેશ ધાનાણી દોડી આવ્યા

13/16
image

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાંત્વના આપવા માટે સુરત દોડી આવ્યા હતા. તેમણે કહ્યું કે, જે દિકરા-દીકરીઓના દીપ બુઝાયા છે તેનાથી ગુજરાતના હૃદય પર ચોટ પહોંચી છે.   

હસતીની બહેનપણીઓની આંખોમાં અશ્રૃધાર

14/16
image

આ ઘટનામાં મૃતક વિદ્યાર્થીઓમાં એક હસતી નામની વિદ્યાર્થીની પણ હતી. આ વિદ્યાર્થીનીને તેની બહેનપણીઓએ અશ્રૃભીની આંખોએ વિદાય આપી હતી.   

યોજાયા શ્રદ્ધાંજલી કાર્યક્રમ

15/16
image

સુરતની દુર્ઘટનામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ માટે વિવિધ જગ્યાએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. 

સુરત ડાયમંડ એસોસિએશનની શોકસભા

16/16
image

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરથાણા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને નાગરિકોએ હાજરી આપી હતી.