JAYA EKADASHI 2024: જયા એકાદશી પર શુભ સંયોગ! રાજીરાજી થશે આ 5 રાશિ

JAYA EKADASHI 2024: માઘ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને જયા એકાદશી કહેવામાં આવે છે. સ્વર્ગની પ્રાપ્તિ અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે લોકો આ વ્રત કરતા હોય છે. આ વર્ષે જયા એકાદશી 20 ફેબ્રુઆરીએ છે. આ વખતે જયા એકાદશીના દિવસે પ્રીતિ યોગ, આદ્રા નક્ષત્ર, આયુષ્માન યોગ સહિત અનેક શુભ સંયોગો બની રહ્યા છે. જેના કારણે મેષ સહિત 5 રાશિના લોકોને ઘણો ફાયદો થઈ શકે છે.

વૃષભ

1/5
image

આ સમયગાળા દરમિયાન તમે તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. તમને મોટું પદ, પ્રતિષ્ઠા અને સારા એવા પૈસા મળશે. તમારા જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. નવી નોકરી મળી શકે છે. આવકના સ્ત્રોત વધશે.

તુલા

2/5
image

આ સમયગાળા દરમિયાન તમને નોકરી અને વ્યવસાયમાં સારો એવો લાભ થશે. સામાજમાં માન મોભો વધશે, સામાજિક પદ-પ્રતિષ્ઠા વધશે. જીવનસાથીનો પણ સારો એવો સહયોગ મળશે.

સિંહ

3/5
image

આ સમયગાળા દરમિયાન વેપારીઓને સારો એવો નફો મળી શકે છે. બીજી તરફ નોકરિયાત વર્ગને પણ આ સમય દરમિયાન સારો લાભ થશે. તમને કારકિર્દીમાં સફળતા અને અંગત જીવનમાં ખુશીના સમાચાર મળી શકે છે.  

મેષ

4/5
image

મેષ રાશિવાળાએ રાજી થવાનો સમય આવી ગયો છે. આ સમયગાળા દરમિયાન જૂની સમસ્યાઓ અને માનસિક તણાવથી તમને રાહત મળશે. નોકરી માટે સમય સારો છે. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થશે. લવ લાઈફ અને દાંપત્ય જીવન ખુશહાલ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.  

ધન

5/5
image

શું તમે એક નોકરીયાત વ્યક્તિ છો? નોકરીયાત માટે અત્યારનો સમય ખુબ જ શુભ માનવામાં આવે છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. એટલું જ નહીં તમે કરેલું જૂનું રોકાણ મોટું વળતર આપી શકે છે. બિઝનેસનો પણ વધી શકે છે વ્યાપ.