57 કલાકના કર્ફ્યૂ બાદ અમદાવાદના જમાલપુર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, જુઓ તસવીરો

અમદાવાદના જમાલપુર માર્કેટમાં એટલી બધી ભીડ જોવા મળી રહી છે કે, આવી જ પરિસ્થિતિ રહી અને જો લોકોમાં જાગૃતતા નહિ આવે તો શહેરમાં વધતા જતા કોરોનાના કેસ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જશે

આશ્કા જાની/ અમદાવાદ: અમદાવાદ શહેરમાં 57 કલાકના કર્ફ્યૂ પૂર્ણ થયા બાદ ફરી અમદાવાદના રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદનું જમાલપુર શાકમાર્કેટ લોકોને ભીડથી છલકાઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો શાકભાજીની ખરીદી અને વેચાણ કરવાની આવી રહ્યા છે.

1/4
image

જમાલપુર માર્કેટમાં મોટાભાગના ખરીદી કરવા આવનાર ગ્રાહક અને વેપારીઓના ચહેરા ઉપર માસ્ક જોવા મળી રહ્યું નથી. લોકો દંડથી બચવા માટે માત્ર પહેરવા ખાતર માસ્ક પહેરતા હોય તેમ નાકના નીચેના ભાગમાં માસ્ક રાખે છે.

2/4
image

લોકો દંડથી બચવા માટે માત્ર પહેરવા ખાતર માસ્ક પહેરતા હોય તેમ નાકના નીચેના ભાગમાં માસ્ક રાખે છે. હજુ લોકોમાં જાગૃતતા જોવા મળી રહી નથી, તો બીજી તરફ માર્કેટના દ્રશ્યમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળી રહ્યો છે.

3/4
image

અમદાવાદના જમાલપુર માર્કેટમાં એટલી બધી ભીડ જોવા મળી રહી છે કે, આવી જ પરિસ્થિતિ રહી અને જો લોકોમાં જાગૃતતા નહિ આવે તો શહેરમાં વધતા જતા કોરોનાના કેસ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જશે

4/4
image

જો કે, હવે લોકોમાં સ્વયં જાગૃતિની જરૂર છે. તો બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના અન્ય ત્રણ મહાનગરોમાં વહેલી સવારથી જ વિવિધ જગ્યાઓ પર સામાન્ય દિવસની જેમ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.