Navratri 2022: નવરાત્રિમાં ગુજરાતના આ શક્તિપીઠના દર્શન કરવાથી થઈ જશે બેડો પાર!

નવી દિલ્હીઃ માતાનો પ્રિય તહેવાર એટલે નવરાત્રિ. નવ દિવસ જગતજનની ભજવાનો અવસર આપણને નવરાત્રિમાં મળે છે. આ પાવન દિવસોમાં શક્તિપીઠમાં દર્શન કરવાનું અનેરું મહાત્મ્ય છે. ત્યારે આજે વાત કરીશું ગુજરાતની શક્તિપીઠોની.

ઉમિયાધામ

1/5
image

ઊંઝામાં આવેલું ઉમિયાધામ માતા ઉમિયાનું સ્થાનક છે. જેમાં પાટીદાર સમાજ વિશેષ આસ્થા ધરાવે છે. નોરતામાં આ ધામ ભક્તોની ઉમટી પડે છે. અને ભકતો માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.  

પાવાગઢ શક્તિપીઠ

2/5
image

પાવાગઢ શક્તિપીઠ પૂર્વ ગુજરાતમાં પાવાગઢ પર્વત પર આવેલી છે. અહીં સતીના જમણા પગની આંગળી અહીં પડી હતી. પાવાગઢ પર માતા મહાકાળી સ્વરૂપે બિરાજમાન છે. આ મહાકાળી સ્વરૂપે જ માતાએ રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો.  

ખોડલધામ

3/5
image

આમ તો આ ધામ શક્તિપીઠમાં નથી આવતું પરંતુ તેનો મહિમા અનેરો છે. રાજકોટ નજીક બનેલા ખોડલધામમાં મા ખોડિયાર બિરાજે છે. જેમનામાં લાખો ભક્તો આસ્થા ધરાવે છે. અને નવરાત્રિમાં દર્શન કરે છે.  

બહુચરાજી

4/5
image

  મધ્ય ગુજરાતમાં આવેલી આ શક્તિપીઠ અનેરું મહત્વ ધરાવે છે. અહીં માતા સતીનો ડાબો હાથ ખરી પડ્યો હતો. અહીં બહુતર માતા બિરાજે છે.જેમનો પુરાણોમાં ઉલ્લેખ પૌરુષત્વ આપનાર દેવી તરીકે કરવામાં આવે છે.  

અંબાજી શક્તિપીઠ

5/5
image

બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં આ શક્તિપીઠ આવેલી છે. જ્યાં આરાસુરી મા અંબા બિરાજે છે. પુરાણો અનુસાર આ જગ્યાએ માતા સતીનો હ્રદયનો ભાગ પડ્યો હતો. એટલે જ તેનું મહત્વ સૌથી વધારે છે. અહીં માતાને દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.