Improve Eyesight: આહાર અને જીવનશૈલીમાં કરો આ 5 ફેરફારો, વધી જશે આંખોનું તેજ!

આજકાલ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકની આંખ પર ચશ્મા હોય છે. નબળી દૃષ્ટિ એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આની સાથે આંખોની શુષ્કતા, બળતરા, રાત્રે જોવામાં અસમર્થતા વગેરે પણ આંખની ઘણી સમસ્યાઓમાં સામેલ છે. 

1/8
image

આપણી ખરાબ ટેવોને કારણે આંખોનું તેજ ઓછું થાય છે. તેનું મુખ્ય કારણ વધતી ઉંમર, ખરાબ જીવનશૈલી અને અસ્વસ્થ આહાર છે.

2/8
image

પરંતુ એક વખત આંખોનું તેજ નબળું પડી જાય તો તેને સુધારવુ ખૂબ મુશ્કેલ બની જાય છે. આ સમાચારમાં અમે તમને કુદરતી રીતે આંખોનુ તેજ વધારવાના ઉપાયો જણાવીશું.

ગાજર

3/8
image

ગાજરમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે અને તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ એક ગાજર ખાવાથી આંખના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે.

લીલા પાંદડાવાળા શાકભાજી

4/8
image

લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, મેથી પણ આંખો માટે ફાયદાકારક છે. તેમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે આંખોનું તેજ સુધારવામાં મદદ કરે છે.

માછલી

5/8
image

માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. ઓમેગા-3 ફેટી એસિડ આંખના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને દૃષ્ટિ સુધારે છે.

ઊંઘ

6/8
image

ઊંઘ પણ આંખ સંબંધિત સમસ્યાઓનું કારણ છે. આંખના સારા સ્વાસ્થ્ય માટે આપણે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.

સ્ક્રીન ટાઈમ

7/8
image

લાંબા સમય સુધી સ્ક્રીનને જોવી એ આંખો માટે સારું નથી. તેથી બને તેટલું ઓછી સ્ક્રીન જોવી જોઈએ.

Disclaimer:

8/8
image

Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.