લોકમેળામાં ઉમટ્યું માનવ મહેરામણ, રાજકોટના રસરંગ લોકમેળાનો નજારો જોઈ તમને પણ મન થઈ જશે જવાનું

Rajkot Lok Mela 2023: રાજકોટમાં દર વર્ષે યોજાતા જન્માષ્ટમીના લોક મેળાને ખુલ્લો મુકાયો છે. આ વર્ષે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને રસરંગ લોકમેળો નામ અપાયું છે. સાતમ આઠમના પર્વ પર યોજાતા આ લોકમેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. રાજકોટના લોકમેળાથી અનેક લોકોને રોજગારી પણ મળે છે. 

1/5
image

આ વર્ષે પણ રાજકોટના લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે. પહેલા જ દિવસે લોકમેળાની મુલાકાત 50000 થી વધુ લોકોએ લીધી હતી. પાંચ દિવસ દરમિયાન આ લોકમેળાની મુલાકાત 15 લાખથી વધુ લોકો લે તેવી સંભાવના છે. 

2/5
image

આ વર્ષે રસ રંગલોકમેળામાં આકર્ષણનું કેન્દ્ર અવનવી રાઈટ્સ બની છે. સાતમ આઠમના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્ર ભરમાંથી મોટી સંખ્યામાં લોકો લોકમેળાની મુલાકાતે આવે છે. પાંચ દિવસ દરમિયાન લાખો લોકો આ મેળાની મુલાકાત લેતા હોવાથી તંત્ર દ્વારા લોકમેળામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

3/5
image

9 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ લોક મેળામાં 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 178 સ્ટોલ રમકડાના, 14 સ્ટોલ ખાણીપીણીના, મધ્યમ ચકરડીના ચાર પ્લોટ અને નાની ચકરડી ને 48 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. 

4/5
image

આ વર્ષે લોકમેળામાં લોકોના મનોરંજન માટેની નાની મોટી અનેક રાઈડ્સ જોવા મળી છે. રાજકોટના રસરંગ મેળાની રંગત રાતે સૌથી વધુ જામે છે. મોટી સંખ્યામાં લોકો રાત્રે મેળાની મુલાકાત લેવા પહોંચે છે. 

5/5
image

લોકોના મનોરંજન માટે લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવ્યું છે. અહીં શહેરની સામાજિક સંસ્થાઓ લોકોને માર્ગદર્શન પણ પૂરું પાડે છે.