આ તોપોથી બહાદુર સિપાઈ પણ થરથર કાંપતા, જાણો કઈ છે દેશની ટોપ-10 તોપ

રજવાડાઓના સમયમાં ગમે ત્યારે યુદ્ધ થઈ જતા હતા.જેમાં મહત્વનું ભૂમિકા રહેતી હતી તોપની.આ તોપ જ હતી જેની સામે અંગ્રેજનું સૈન્ય પણ ઝુકી જતું હતું.ભારતમાં એવી તો અનેક તોપ છે જેણે યુદ્ધ જીતાડ્યા છે.અને તેની પાછળ રોચક ઈતિહાસ જોડાયેલો છે.

નરેશ ધાનાણી, અમદાવાદ: એક સમય હતો જ્યારે યુદ્ધ એ અનિવાર્ય ઘટના હતી.દેશી રજવાડાંઓ વચ્ચે યુદ્ધ માટે સ્પર્ધા જામતી હતી.જેમાં શસ્ત્રોમાં તોપ, ભાલા અને તલવાર મહત્વના અંગ ગણવામાં આવતા હતા.એટલું જ નહીં પણ મોગલોએ  હિન્દમાં પ્રથમ વિજય તોપની મદદથી જ મેળવ્યો હતો.જેથી જરૂરિયાત મુજબ અલગ અલગ પ્રકારની તોપની શોધ થતી રહી.જેમાં તોપોની બનાવટ પણ જે-તે પ્રદેશ અને વિસ્તારના કલા–કૌશલનો પરિચય આપતી હોય છે.

જંબુરા તોપ

1/10
image

અંગ્રેજોએ ઇ.સ.1782માં બીલીમોરા ઉપર હુમલો કર્યો હતો.તે પારસીઓએ જંબુરા તોપમાંથી બંદર ઉપરથી અંગ્રેજો પર વળતો વાર કર્યો હતો.જંબુરા તોપના પ્રહાર સામે ગભરાઈને અંગ્રેજો વાહણ છોડીને ભાગ્યા હતા.જેથી જબુરા તોપ આજે પણ બીલીમોરામાં સચવાયેલી છે. (પ્રતિકાત્મક તસવીર)

દાલા મરદાના તોપ

2/10
image

દાલા મરદાના તોપને 1565માં તૈયાર કરવામાં આવી હતી..જેને જગન્નાથ કર્મકારે બનાવી હતી.અને આ તોપનો ઈતિહાસ વિષ્ણુપુર સામ્રાજ્ય સાથે જોડાયેલો છે..દાલાનો અર્થ છે દુશ્મન અને મરદાનાનો અર્થ છે કાતિલ. આ નામના ગુણ મુજબ દાલા મરદાના તોપે પોતાના પરાક્રમ બતાવ્યા છે.

જહાન કોસના તોપ

3/10
image

આ તોપના નામનો અર્થ છે વિશ્વ વિનાશક..જહાન કોના તોપને 1637માં બનાવવામાં આવી હતી.આ તોપ મુર્શિદાબાદ આર્ટગેલરીની શોભા વધારી હતી.પરંતુ શાહજહાં શાશનકાળમાં આ તેનું નામ બદલી ઢાકા કરવામાં આવ્યું

જયવાના તોપ

4/10
image

આ એ તોપ છે જેણ જયપુરની સીમાઓને સુરક્ષીત રાખી.વર્ષ 1720માં રાજા જય સિંહે આ તોપ તૈયાર કરાવી હતી.બારૂદના ગોળા દાગતી આ તોપને ખતરનાક માનવામાં આવે છે.આ તોપની સામે સેના પીછેહટ કરવામજબુર થઈ જતી હતી.આ તોપને સીમા સુધી લાવવા માટે હાથિઓની મદદ લેવી પડી હતી.

જયબાણ તોપ

5/10
image

આ એશિયાની સૌથી મોટી તોપ છે.જયપુરમાં જયગઢ કિલ્લા પર રાખવામાં આવેલી આ તોપ જયબાણ નામથી પ્રખ્યાત છે. જયબાણ તોપમાંથી ફેંકવામાં આવેલા ગોળાથી શહેરથી 35 કિલોમીટર દૂર ચાકસૂ નામના ગામમાં તળાવ બની ગયું હતું. આજે પણ તોપના કારણે બનેલું તળાવ અસ્તિત્વમાં છે.જયબાણ તોપનું વજન 50 ટન અને લંબાઈ 31 ફુટ અને 3 ઈંચ છે.આ તોપમાં એકવાર ફાયર કરવા માટે 100 કિલો ગન પાવડરની જરૂર પડતી હતી.

જૂનાગઢના ઉપરકોટની તોપ

6/10
image

જૂનાગઢના ઉપરકોટમાં રહેલી નીલમ અને માણેક તોપો જાણીતી છે.ઇ.સ.1537-38માં પોર્ટુગીઝો સામે દીવમાં થયેલી લડાઇમાં સુલેમાન પાશાએ લાવેલી આ તોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.બાદમાં આ તોપોને બાદશાહ મહંમદ બેગડાને ભેટ આપી હતી. ત્યારબાદ બેગડાએ જૂનાગઢ પર ચઢાઈ કરીને જૂનાગઢ જીતી લીધું.ત્યારેથી આ તોપ ઉપરકોટમાં છે.આ તોપ આશરે 17 ફૂટ લાંબી છે, અને તેનો પરિઘ 7-6 છે.

કચ્છની તોપ

7/10
image

એક સમયે કચ્છના માંડવી, ધાણેટી, ડગાળા અને રતનાલ વગેરે સ્થળોએ તોપ ઢાળવાનો ઉદ્યોગ ધમધમતા હતા..જમાદાર ફતેહમોહમ્મદે જામનગર સાથેના યુદ્ધમાં કચ્છી બનાવટની તોપનો ઉપયોગ કર્યો હતો.જેમાં સાવ નાના કદની તોપ  ‘ગુડુદિયો’, વધુ અવાજ કરતી મધ્યમ કદની તોપને ‘મિરિયમ’ કહેવાતી. જ્યારે ‘સિકરા’ નામે ઓળખાતી તોપમાં તો જામગરી ચાંપતાંની સાથે જ પાછળ હટતી અને ફૂટવાની સાથે જ એટલા જ વેગથી આગળ વધતી. વધુ મોટી તોપ ‘ચંદન ઘો’ તરીકે ઓળખાતી. કદમાં નાની પણ ઘંટ આકારની તોપ ‘સુરંગ’ કહેવાતી.

મલિક-એ- મૈદાન તૌપ

8/10
image

આ તોપના નામનું અર્થ થાય છે યુદ્ધ મેદાનનો રાજા.બીજાપુરના મોહમ્મદ-બિન-હુસૈને 1549માં આ લોખંડની તોપ બનાવી હતી.700 MMની મારક ક્ષમતા વાળી આ તોપમાં પ્રથમ વખત લોખંડનો ગોળો દાગવામાં આવ્યો હતો.આ તોપનું વજન 55 ટન હતું.અને 1565માં વિજયનગર સામ્રાજ્યનો ખાત્મ કર્યા બાદ તેનું મલિદ-એ-મૈદાન નામ રાખવામાં આવ્યું હતું.

મૈસરની તોપ

9/10
image

મુજફ્ફરનગરના ડીએમ આવાસમાં રાખેલી મૈસૂરા રાજા ટીપુ સુલતાનના શસ્ત્રગારમાંથી લૂટીને લાવવામાં આવી હતી.આ તોપ એવી રીતે બનાવવામાં આવી હતી કે સેંકડો મીટર સુધી મારક ક્ષમતા ધરાવતી હતી.જેમાં હાથગોળા અને દારૂગોળાનો ઉપયોગ થતો હતો..આ તોપને અંગ્રેજો ખાસ સ્થળો પર યુદ્ધ અભ્યાસ માટે વાપરતા હતા.આ તોપ મૈસૂરમાં 1780માં બનાવવામાં આવી હતી.

તંજાવુર તોપ

10/10
image

નાયક શાષનકાળમાં વર્ષ 1620માં આતોપને બનાવવામાં આવી હતી.આ તોપને દક્ષિણ ભારતમાં તંજાવુર શહેરની રક્ષા માટે મુખ્ય દરવાજા પર રાખવામાં આવી હતી.જેથી તેને તંજાવુરની તોપ કહેવાય છે.