માત્ર 9 વનડે રમી આ ઓલરાઉન્ડરે બનાવી વિશ્વ કપની ટીમમાં જગ્યા

ભારતે વિશ્વ કપ માટે ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં ઓલરાઉન્ડર વિજય શંકરને તક આપવામાં આવી છે. 

12માં આઈસીસી વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમમાં અનુભવી ખેલાડીઓની સાથે-સાથે નવા અને યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. સૌથી ઓછા અનુભવી અને નવા ખેલાડીઓની વાત કરીએ તો વિજય શંકરે વિશ્વ કપમાં રમવાની તક મળશે. અનુભવની દ્રષ્ટિએ અન્ય ખેલાડીઓ કરતા વિજય યુવાન છે. આવો જાણીએ વિજય શંકર વિશે કેટલિક ખાસ વાતો...

1/8
image

cricbuzz.comના આંકડા પ્રમાણે વિજય શંકરે અત્યાર સુધી 9 વનડે મેચ, 9 ટી20 મેચ અને 25 આઈપીએલ મેચ રમી છે.   

2/8
image

વનડે મેચોમાં 33ની એવરેજથી વિજયે કુલ 165 રન બનાવ્યા છે, જ્યારે ટી20માં 25ની એવરેજથી 101 રન બનાવ્યા છે. તો આઈપીએલમાં 22 ઈનિંગ રમતા વિજયે કુલ 445 રન બનાવ્યા છે. 

3/8
image

તો બોલિંગની વાત કરીએ તો વિજય શંકરે 9 વનડેમાં કુલ 2 વિકેટ ઝડપી છે, જ્યારે ટી20 મેચોમાં તેના ખાતામાં 5 વિકેટ છે. આઈપીએલમાં અત્યાર સુધી તેણે એક વિકેટ ઝડપી છે.   

4/8
image

વિજય શંકર તમિલનાડુ માટે રમે છે અને સતત તમામ ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. વિજય મિડલ ઓર્ડરમાં રમે છે અને મધ્યમ ઝડપી બોલિંગ પણ કરે છે.   

5/8
image

વિજય શંકર ક્રિકેટ રમતા પરિવારમાંથી આવે છે. તેના પિતા અને ભાઈ તમિલનાડુ માટે લોએર ડિવિઝન ક્રિકેટ રમી ચુક્યા છે. 

6/8
image

વિજય શંકરે 2012માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. 2014/15 રણજી સીઝનમાં તેણે 2 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. જલ્દી તેની પસંદગી ઈન્ડિયા એમાં કરી લેવામાં આવી હતી.   

7/8
image

શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે રમાયેલી નિદહાસ ટ્રોફીમાં પણ વિજય શંકરને સ્થાન મળ્યું હતું. આઈપીએલમાં વિજય ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી ડેયરડેવિલ્સ માટે રમી ચુક્યો છે. હાલમાં તે હૈદરાબાદની ટીમમાં છે. 

8/8
image

મહત્વનું છે કે મુંબઈમાં સોમવારે ક્રિકેટના મહાસંગ્રામ માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી. અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી હતી. વિશ્વ કપ-2019 ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઈ સુધી રમાશે.