Hair Fall ની સમસ્યા થશે છૂમંતર, દરરોજ આ તેલથી કરો મસાજ

Nariyal Tel Ke Fayde: ખરતા વાળને રોકવા માટે નાળિયેરના તેલથી માલિશ કરવી ફાયદાકારક છે. નાળિયેરના તેલથી માલિશ કરવાથી ન માત્ર વાળ મૂળથી મજબૂત થાય છે, પરંતુ બ્લડ સર્કુલેશન પણ સારૂ રહે છે.
 

Hair Fall ની સમસ્યા થશે છૂમંતર, દરરોજ આ તેલથી કરો મસાજ

Coconut Oil Benefits for Hair: પુરૂષો અને મહિલાઓ બંને ખતરા વાળની સમસ્યાનો સામનો કરતા હોય છે. સ્ટ્રેસ, હાર્મોનલ ઈન્બેલેન્સ, પોષક તત્વોની કમી, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ જેવી ઘણી સમસ્યાને કારણે વાળ ખરે છે. આ સમય દરેક ઉંરમના લોકોમાં જોવા મળે છે. તેનાથી છુટકારો મેળવવા માટે કોકોનેટ ઓયલનો ઉપયોગ કરી શકો છો. 

કોકોનેટ ઓયલ સ્કિન અને વાળ માટે કોઈ વરદાન સમાન છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ તેલનો ઉપયોગ કરવાથી ત્વચાની સાથે-સાથે સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. તે વાળની ઘણી સમસ્યાને દૂર કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. 

નાળિયેર તેલના ફાયદા (Coconut Oil Benefits)
- આ તેલમાં મોઇશ્ચરાઇજિંગ ગુણ હોવાને કારણે વાળને ખરાબ થતાં બચાવે છે. દરરોજ નાળિયેર તેલથી સ્કેલ્પ પર મસાજ કરવાથી વાળમાં ભેજ આવે છે. સાથે વાળ મુલાયમ અને ચમકદાર બને છે. 
- તેમાં લોરિક એસિડના ગુણ હોવાને કારણે તેલ વાળમાં જલ્દી અવશોષિત થઈ જાય છે. તેનાથી વાળ હાઇડ્રેટ રહે છે અને ફ્રિઝીનેસ ઓછી થાય છે, જેના કારણે વાળના મૂળ મજબૂત થાય છે. 
- દરરોજ તેની માલિશ કરવાથી ડ્રાઈનેસ અને ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે. તે સ્કેલ્પ અને વાળમાં ભેજ આપે છે, જેનાથી સ્કેલ્પની ડ્રાઇનેસ ઓછી થાય છે.
- કોલોનેટ ઓયલ એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે. સ્કેલ્પમાં થનાર એનર્જી કે ઈન્ફેક્શન થવા પર આ તેલનો ઉપયોગ મદદરૂપ સાબિત થઈ શકે છે. 
- તેનાથી હેર ગ્રોથ થાય છે અને વાળમાં શાઇન આવે છે.

ક્યારે લગાવવું જોઈએ નાળિયેરનું તેલ?
આમ તો તેલ ગમે તે સમયે લગાવી શકાય છે, પરંતુ રાતના સમયે તેને લગાવવાથી વધુ ફાયદો થઈ શકે છે. દરરોજ રાત્રે નાળિયેરનું તેલ વાળમાં લગાવો અને સ્કેલ્પ પર સારી રીતે માલિશ કરો અને સવારે ધોઈ નાખો.

નોટઃ આ માત્ર સામાન્ય જાણકારી છે. તેને માત્ર સૂચનના રૂપમાં લો. તમે વધુ માહિતી માટે ડોક્ટરની સલાહ લઈ શકો છો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news