વરસાદની સિઝનમાં ઘરે બનાવો આ 3 પ્રકારની ચા, મૌસમી રોગો રહેશે દૂર, સ્વાસ્થ્યને થશે અનેક ફાયદા

Tea in Monsoon: વરસાદની ઋતુમાં અનેક મૌસમી રોગોનો ખતરો રહે છે. આ સિઝનમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. વરસાદની મોસમમાં લોકો દિવસમાં ઘણી વખત ચા પીવાનું પસંદ કરે છે. આ ઋતુમાં તુલસીની ચા પીવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.

વરસાદની સિઝનમાં ઘરે બનાવો આ 3 પ્રકારની ચા, મૌસમી રોગો રહેશે દૂર, સ્વાસ્થ્યને થશે અનેક ફાયદા

Tea in Monsoon: ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ વરસાદી ઋતુમાં અનેક પ્રકારના મોસમી રોગોનો ભય રહે છે. આ સિઝનમાં નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને શરદી-ખાંસી, તાવ જલ્દી આવે છે. વરસાદની મોસમ દરમિયાન, ચા પ્રેમીઓ દિવસમાં ઘણી વખત ચાની ચુસ્કીઓ લે છે. જો કે, દિવસમાં ઘણી વખત ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે, તેથી વધુ પડતી ચા ન પીવી જોઈએ. ચાલો આજે તમને એવી જ કેટલીક ચા વિશે જણાવીએ, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 

1. ગ્રીન ટી
ગ્રીન ટીમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે. તેમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ગ્રીન ટીમાં આયર્ન, એનર્જી, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ઝિંક સહિતના ઘણા પોષક તત્વો મળી આવે છે. ગ્રીન ટીના સેવનથી વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેના ઉપયોગથી શરદી-ખાંસી, તાવ, માથાનો દુખાવા જેવી સમસ્યાથી બચી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ગ્રીન ટી ફાયદાકારક છે. તેના ઉપયોગથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ચોમાસાની ઋતુમાં ગ્રીન ટીનું નિયમિત સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

No description available.

2. અજવાઇન સૌંફની ચા
વરસાદની ઋતુમાં અજમો વરિયાળીની ચાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. વરિયાળીમાં ફાઈબર, પ્રોટીન, આયર્ન કેલ્શિયમ જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. આ ચાના સેવનથી માથાનો દુખાવો, શરદી અને ફ્લૂ જેવી બીમારીઓથી રાહત મળે છે. તે પાચનતંત્રને પણ સુધારે છે. તેના ઉપયોગથી એસિડિટી દૂર થાય છે.

3. તુલસીની ચા
તુલસીમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. આયુર્વેદમાં તેનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જો તમે શરદી, ઉધરસ, માથાનો દુખાવો વગેરેથી પરેશાન છો તો તુલસીની ચા ખૂબ જ ફાયદાકારક છે. તુલસીની ચાના સેવનથી ડાયાબિટીસ, ચિંતા અને ડિપ્રેશનથી બચી શકાય છે. તુલસીમાં ઘણા એન્ટી-ઈન્ફ્લેમેટરી તત્વો હોય છે જે શરીરમાં કોઈપણ પ્રકારની બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે. વરસાદની ઋતુમાં તુલસીની ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આ પણ વાંચો:
PM મોદીને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન,આ સન્માન મેળવનારા પહેલા ભારતીય PM
ચોમાસામાં ફરવા માટે આ જગ્યાઓ છે બેડ ચોઈસ, ભુલથી પણ આ સીઝનમાં ટ્રીપ પ્લાન ન કરતાં

August Grah Gochar: જાણો કઈ કઈ રાશિઓને થશે સૂર્ય, મંગળ અને શુક્રના ગોચરથી લાભ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news