Chandra Grahan 2024: હોળી પર સર્જાશે વર્ષનું પ્રથમ ગ્રહણ, ખાસકરીને ગર્ભવતી મહિલાઓ આ રીતે રાખે ધ્યાન

Grahan Effect On Pregnant Ladies: વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહસ્ણ 25 માર્ચે હોળીના દિવસે સર્જાશે. ગ્રહણના અશુભ પ્રભાવોથી બચવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે આ દરમિયાન ગર્ભવતી મહિલાઓને કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. 

Chandra Grahan 2024: હોળી પર સર્જાશે વર્ષનું પ્રથમ ગ્રહણ, ખાસકરીને ગર્ભવતી મહિલાઓ આ રીતે રાખે ધ્યાન

Chandra Grahan Effect 2024: હિંદુ માન્યતાઓ અનુસાર ચંદ્ર ગ્રહણના દિવસે નકારાત્મક શક્તિઓ પેદા થાય છે. તેનો પ્રભાવ વ્યક્તિના જીવન અને દિનચર્યા પર જોવા મળી શકે છે. એટલા માટે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણ દરમિયાન ઘણા ઉપાય અને સાવધાનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહણ દરમિયાન દરેક વ્યક્તિને વિશેષ સાવધાની રાખવી જોઇએ. પરંતુ ગર્ભવતી મહિલાઓએ આ દરમિયાન કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓ હાવી બની જાય છે. એવામાં લોકોને આ સમયગાળા દરમિયાન પૂજા ન કરવાની અથવા ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો આપણે સગર્ભા સ્ત્રીઓ અને તેમના બાળકો વિશે વાત કરીએ, તો તેઓએ ખાસ કાળજી લેવી જોઈએ. આ સમય દરમિયાન ગ્રહણની અસર તેમના સ્વાસ્થ્ય અને ગર્ભસ્થ બાળક પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. જાણો ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ચંદ્ર ગ્રહણની અવધિ 2024
જ્યોતિષ શાસ્રના અનુસાર આ વર્ષે 2024નું પ્રથમ ચંદ્ર ગ્રહણ 25 માર્ચ ફાગણ પૂર્ણિમાના દિવસે છે. તમને જણાવી દઇએ કે હોળીના તહેવાર પણ ઉજવવામાં આવી રહ્યો છે. ગ્રહણનો પ્રભાવ દેશ અને દુનિયા તમામ પર જોવા મળી શકે છે. તમને જણાવી દઇએ કે આ વખતે ચંદ્ર ગ્રહણ 25 માર્ચ સવરે 10:24 થી લઇને બપોરે 3:01 સુધી રહેવાનો છે. એવામં તમને ચંદ્ર ગ્રહણ દરમિયાન કુલ 4 કલાક અને 36 મિનિટ સુધી સતર્ક રહેવું પડશે. 

ગર્ભવતી મહિલાઓએ આ નિયમનું પાલન કરવું જોઈએ
- કોઈપણ ગર્ભવતી મહિલાએ ચંદ્રગ્રહણ જોવાનું ટાળવું જોઈએ અને તે દરમિયાન ઘરની બહાર નીકળવું જોઈએ નહીં.

- ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ઘરની અંદર એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં ગ્રહણના કિરણો કે પ્રકાશ ન પડતા હોય.

- જો તમે ગર્ભવતી હો અને ચંદ્રગ્રહણના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. વ્યક્તિએ પૂજામાં ધ્યાન આપવું જોઈએ પરંતુ મંદિરમાં ન જવું જોઈએ.

- ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ હનુમાન ચાલીસા, વિષ્ણુ સહસ્ત્રનમ, આદિત્ય હૃદય સ્તોત્ર, વિષ્ણુ હસ્તાક્ષર મંત્ર અને પંચાક્ષરી મંત્રનો જાપ કરવો જોઈએ.

- જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય ત્યારે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ પોતાની સાથે નારિયેળ રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે નાળિયેર રાખવાથી તમામ પ્રકારના હાનિકારક રેડિયેશન સામે રક્ષણ મળે છે. આ પછી તેને પવિત્ર નદીમાં ડૂબાડી દેવું જોઈએ.

- સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન ઉઠતી અને બેસતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. એટલું જ નહીં, ગ્રહણ દરમિયાન ખાવાનું પણ ટાળવું જોઈએ.

- સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સોય, છરી, કાતર જેવી ધારદાર વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. શાસ્ત્રો અનુસાર તેનો ઉપયોગ કરવાથી ગર્ભમાં રહેલા બાળક પર આડઅસર થઈ શકે છે.

નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છે, Zee 24 kalak તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news