તમારા બાથરૂમમાં ગેસ ગીઝરના ઉપયોગ કરતા હોવ તો આટલી વાતો જાણી લેવી ખુબ જરૂરી, નહીં તો મોટા અકસ્માતનો ભય

ગેસ ગીઝરનો ઉપયોગ કરતી વખતે સાવચેતી ન રાખવાથી અને થોડી બેદરકારીને કારણે ઘણી વખત આવા અકસ્માતો થાય છે. ચાલો જાણીએ ગેસ ગીઝર શું છે અને તેનો ઉપયોગ કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ…

તમારા બાથરૂમમાં ગેસ ગીઝરના ઉપયોગ કરતા હોવ તો આટલી વાતો જાણી લેવી ખુબ જરૂરી, નહીં તો મોટા અકસ્માતનો ભય

નવી દિલ્હી: ગુરુગ્રામની એક હોટલના બાથરૂમમાં ગેસ ગીઝરના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે ગેસ ગીઝરમાં રહેલા ઝેરી ગેસના કારણે સત્યદેવ નામના વ્યક્તિનું મોત થયું છે. આ મહિનાની શરૂઆતમાં દિલ્હીના દ્વારકામાં ગેસ ગીઝરને કારણે 13 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીના મોતનું કારણ કાર્બન મોનોક્સાઇડ ગેસ જાણવા મળ્યું હતું. વાસ્તવમાં, ગેસ ગીઝરમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ હોય છે. જે લીકેજના કારણે અનેક વખત આવા અકસ્માતો સર્જાય છે અને લોકોને જીવ ગુમાવવો પડે છે. જો કે, એવું ન કહી શકાય કે દરેક ગેસ ગીઝર વ્યક્તિના જીવનને જોખમમાં મૂકે છે. ગેસ ગીઝરનો ઉપયોગ કરતી વખતે સાવચેતી ન રાખવાથી અને થોડી બેદરકારીને કારણે ઘણી વખત આવા અકસ્માતો થાય છે. ચાલો જાણીએ ગેસ ગીઝર શું છે અને તેનો ઉપયોગ કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ…

શું હોય છે ગેસ ગીઝર?
ગેસ ગીઝર દ્વારા પાણી ગરમ કરવામાં આવે છે. ઘણીવાર તમે ઘર અને હોટલોના રૂમમાં બાથરૂમમાં ગેસ ગીઝર જોયા હશે. શિયાળામાં તેનો ઉપયોગ વધી જાય છે, કારણ કે આ સમયે ગરમ પાણીની જરૂર પડે છે. ઘરોમાં એલપીજી ગેસ દ્વારા પાણી ગરમ કરવાથી ગેસનો વપરાશ અને ખર્ચ વધે છે, જેના કારણે લોકો વારંવાર બાથરૂમમાં ગેસ ગીઝર લગાવે છે.

ગેસ ગીઝર નંખાવતા પહેલા કે ઉપયોગ પહેલા આટલી વાતોનું ધ્યાન રાખો
ખાસ ધ્યાન રાખો કે ગેસ ગીઝર એવી જગ્યાએ ન મુકો જ્યાં આખી જગ્યા ભરાઈ ગઈ હોય. બાથરૂમ અને રસોડામાં પણ તેને લગાવતી વખતે ધ્યાન રાખો કે આસપાસ જગ્યા હોય અને હવાની યોગ્ય વ્યવસ્થા હોય. જો તમે તમારા ઘરના બાથરૂમમાં ગેસ ગીઝર લગાવી રહ્યા છો, તો ધ્યાન રાખો કે ત્યાં વેન્ટિલેટરની જગ્યા છે.

બાથરૂમમાં ગેસ ગીઝરનો ઉપયોગ કરતી વખતે એક્ઝોસ્ટ ફેન ચલાવો. જો તમારા ગેસ ગીઝરમાંથી કોઈ પ્રકારનું લીકેજ થતું હોય તો તેનો ઉપયોગ ન કરો અને સમયાંતરે ગેસ ગીઝરને ચેક કરતા રહો જેથી કરીને કોઈપણ પ્રકારની દુર્ઘટનાથી બચી શકાય. આખો દિવસ ગેસ ગીઝર ન ચલાવો. જો ઘરમાં એક કરતાં વધુ લોકો તેનો ઉપયોગ કરતા હોય તો યોગ્ય ગેપ કરીને જ ગેસ ગીઝર ચલાવો. જો ગેસ ગીઝરમાંથી ગેસ લીક ​​થઈ રહ્યો છે અને તમને ઉધરસ અને ગૂંગળામણની ફરિયાદ છે, તો તરત જ ગીઝર બંધ કરો અને હવાની અવરજવરવાળી જગ્યા પર જાઓ.

વાસ્તવમાં, જો તમે ગેસ ગીઝરમાં હાજર કાર્બન મોનોક્સાઇડ ગેસનો થોડોક પણ શ્વાસ લો છો, તો તે તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે. કાર્બન મોનોક્સાઇડની વધુ માત્રાવાળા વાતાવરણમાં શ્વાસ લેવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news