Join Airforce 2023: ધો.12 પાસ માટે પણ વાયુ સેનામાં જોડાવાની તક, જુઓ અગ્નિવીરવાયુની ભરતી પ્રક્રિયા

Indian Airforce: અગ્નિવીર ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે અરજી કરવાની સુવર્ણ તક છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર અગ્નિવીરવાયુની વેબસાઇટ anipathvayu.cdac.in પર જઈને ઓનલાઇન એપ્લિકેશન કરી શકે છે. ઓનલાઇન અરજી 17 માર્ચથી શરૂ થશે

Join Airforce 2023: ધો.12 પાસ માટે પણ વાયુ સેનામાં જોડાવાની તક, જુઓ અગ્નિવીરવાયુની ભરતી પ્રક્રિયા

Agniveer recruitment: IAF અગ્નિવીર ભરતી 2023 રજિસ્ટ્રેશન: ભારતીય નેવીમાં 'અગ્નિવીર' બનવાની સારી તક રહેલી છે.  ભારતીય વાયુ સેનાએ અગ્નિવીરવાયુ ભરતી 2023નું નોટિફિકેશન જાહેર કર્યુ છે. અગ્નિવીરવાયુ ભરતી પરીક્ષા 20 મે 2023ના રોજ યોજાશે. આ ભરતી અવિવાહિત પુરુષ અને મહિલા બંને માટે છે.

અગ્નિવીર ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે અરજી કરવાની સુવર્ણ તક છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર અગ્નિવીરવાયુની વેબસાઇટ anipathvayu.cdac.in પર જઈને ઓનલાઇન એપ્લિકેશન કરી શકે છે. ઓનલાઇન અરજી 17 માર્ચથી શરૂ થશે. યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઇટના માધ્યમથી 31 માર્ચ 2023 સુધી ઓનલાઇન ઉમેદવારી ફોર્મ જમા કરી શકે છે.

અગ્નિવીર ભરતી માટે યોગ્યતા:

સાઈન્સ સ્ટ્રીમ માટે: માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ગણિત, ફિઝિક્સ અને અંગ્રેજી વિષય સાથે ઓછામાં ઓછા 50 ટકા લોકો સાથે પાસ થવું જોઈએ. અંગ્રેજીમાં 50 ટકા માર્ક્સ જોઈએ. અથવા 50 ટકા માર્ક્સની સાથે ત્રણ વર્ષનું એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલ હોય. આ ફિઝિક્સ, મેથ્સ જેવા બે નૉન વોકેશનલ સબજેક્ટ સાથે વોકેશનલ કોર્સમાં 50 ટકા માર્ક્સ હોવા જોઈએ.

સાઈન્સ સ્ટ્રીમ ઉપરાંત: 
50 ટકા તેની સાથે ધોરણ 12 પાસ હોવો જોઈએ. અંગ્રેજી વિષયમાં 50 ટકા માર્ક્સ જરૂરી છે.

IAF અગ્નિવીર ભરતી 2023માં ઉંમર મર્યાદા: 
યોગ્ય ઉમેદવારનો જન્મ 26 ડિસેમ્બર 2006થી 26 જૂન 2006ની વચ્ચે થયેલો હોવો જોઈએ. તેની ઉંમર સીમા 21 વર્ષથી વધુ ન હો. વધુ માહિતી માટે નોટિફિકેશનને ધ્યાનથી વાંચો.

IAF અગ્નિવીર ભરતી 2023 સૂચના:

કેવી રીતે ભરતી?
યોગ્ય અરજદારે સૌથી પહેલાં ઓનલાઈન લેખિત પરીક્ષા આપવી પડશે. જે 20 મે 2023ના રોજ યોજાશે. તેના પછી શારીરિક સ્વાસ્થ્યનું પરીક્ષણ કરવું (PFT) અને મેડિકલ ટેસ્ટ થશે. 

મહત્વનું છેકે અગ્નિપથ યોજના હેઠળ ભારતીય આર્મી,વાયુ સેના અને નેવીમાં અગ્નિવીરોની ભરતી 4 વર્ષ માટે આવશે. ચાર વર્ષ ટ્રેઈન કર્યા પછી માત્ર 25 ટકા અગ્નિવીરોની કાયમી નિમણૂક કરાશે. ટ્રેનિંગ દરમિયાન અગ્નિવીર ભારતીય એર ફોર્સ અને ભારતીય એરફોર્સની સીએસડી કેન્ટીનનો પણ લાભ લઈ શકે છે. તેનો 48 લાખ રૂપિયાનો મેડિકલ ઇન્શ્યોરન્સ હશે. વર્ષના 30 દિવસની રજાઓ મળશે. તે સિવાય સિક લીવનો પણ ઑપ્શન હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news