જ્યારે PM મોદી આતંકવાદ પર બોલે છે તો પરસેવો પાક. વડાપ્રધાનનો છુટે છે: CM યોગી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે આરોપ લગાવ્યો કે જ્યાં ભાજપ વિકાસની યોજનાઓ મુદ્દાઓ સાથે ચાલી રહ્યું છે, સપા-બસપા આતંકવાદીઓને બચાવવાનાં એજન્ડા સાથે કામ કરી રહ્યા છે

જ્યારે PM મોદી આતંકવાદ પર બોલે છે તો પરસેવો પાક. વડાપ્રધાનનો છુટે છે: CM યોગી

શાહજહાપુર : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે આરોપ લગાવ્યો કે જ્યાં ભાજપ વિકાસની યોજનાઓ મુદ્દે ચલાવી રહ્યા છે, સપા-બસપા અને કોંગ્રેસ આતંકવાદીઓને બચાવવાના એજન્ડા પર કામ કરી રહ્યા છે. યોગીએ અહીં એક ચૂંટણી જનસભાને (lok sabha elections 2019) માં આરોપ લગાવ્યો, એક તરફ આપણે વિકાસની યોજનાઓ ચલાવી રહ્યા છીએ. બીજી તરફ સપા-બસપા કોંગ્રેસ તમામ આતંકવાદીઓને બચાવવાના એજન્ડા પર કામ કરી રહ્યા છે. 

તેમણે આરોપ લગાવ્યો કે, 2004થી2014 સુધી કુશાસનનાં કારણે જ દેશમાં નક્સલવાદ અને આતંકવાદ વધ્યો, પરંતુ હવે મોદી સરકારમાંથી સૌથી લઘુત્તમ સ્તર પર છે. જો કે હવે મોદી સરકારમાંથી સૌથી લઘુતમ સ્તર પર છે. યોગીએ કહ્યું કે, જ્યારે મોદીજી આતંકવાદ પર બોલે છે તો પરસેવો પાકિસ્તાનનાં વડાપ્રધાનનો પરસેવો છુટે છે. 

PM મોદીની લોકપ્રિયતાથી કોંગ્રેસ ડરી ગઈ, એટલે પ્રિયંકા ચૂંટણીના મેદાનમાં ન ઉતર્યા: વિજય રૂપાણી
તેમણે જનસમુહને સવાલ કર્યો કે, પ્રદેશનાં વિકાસને અટકાવનારા, નવયુવાનને પલાયન કરવા માટે મજબુર કરનારાઓ માટે શું તમે મતદાન કરશો ? યોગી બોલ્યા પહેલીવાર અમારી સરકારે અન્નદાતા ખેડૂતોનું દેવુમાફ કર્યું. અમે બીજુ કાર્ય કર્યું.  બિનકાયદેસર કતલખાનાઓની સુરક્ષા માટે એંટી રોમિયો સ્કવોર્ડ બનાવી. યોગીએ કહ્યું કે, અમે કહ્યું હતું કે, પ્રદેશમાં ગુનેગારો માટે બે જ સ્થાન હશે. એક જેલ બીજુ રામનામ સત્યની યાત્રા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news