લગ્નના 9 વર્ષ સુધી પતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યો નહીં, કોર્ટે માનસિક ક્રૂરતા ગણાવી છૂટાછેડાને આપી મંજૂરી

મેટ્રિમોનિયલ સાઇટ પર એકબીજાની પ્રોફાઇલ લાઇક કર્યા પછી એક કપલે લગ્ન કરી લીધા. પરંતુ લગ્નના 9 વર્ષ બાદ પત્નીએ પતિને સેક્સ માણવા ન દીધું. આ પછી પતિ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે છૂટાછેડાને મંજૂર કરતા કહ્યું કે પાર્ટનરને સેક્સથી વંચિત રાખવું માનસિક ક્રૂરતા છે.

લગ્નના 9 વર્ષ સુધી પતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યો નહીં, કોર્ટે માનસિક ક્રૂરતા ગણાવી છૂટાછેડાને આપી મંજૂરી

નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે એક પરિણીત યુગલને છૂટાછેડા મંજૂર કર્યા છે, જેમાં એવું માનવામાં આવે છે કે ઇરાદાપૂર્વક જીવનસાથીને સેક્સથી વંચિત રાખવું માનસિક ક્રૂરતા સમાન છે. આ કેસમાં પતિએ કોર્ટમાં છૂટાછેડાની માંગણી કરી હતી. તેણે આરોપ લગાવ્યો કે લગ્નના 9 વર્ષો પછી પણ તેની પત્નીએ તેને ક્યારેય સેક્સ કરવાની મંજૂરી આપી નથી. આ રીતે, તેણી તેના પર માનસિક ક્રૂરતા કરી રહી છે, તેથી તેણીને છૂટાછેડાની મંજૂરી આપવી જોઈએ. બંનેના લગ્ન 2014માં થયા હતા પરંતુ લગ્નના 9 વર્ષ બાદ પણ બંને વચ્ચે કોઈ શારીરિક સંબંધ નથી.

ફેમેલી કોર્ટના વિપિન કુમાર રાયે પોતાના આદેશમાં કહ્યું- સામાન્ય અને હેલ્ધી સેક્સુઅલ રિલેશનશિપ એક સુખી અને શાંત લગ્ન જીવનનું મહત્વનું અંગ છે. પાર્ટનર દ્વારા ત્યારે સેક્સ સંબંધનો ઇરાદાપૂર્વક ઇનકાર કરવો જ્યારે બીજો પાર્ટનર તેને લઈને પરેશાન હોય, માનસિક ક્રૂરતા બરાબર છે. ખાસ કરીને જ્યારે બંને પક્ષ (પતિ અને પત્ની) યુવા અને નવા પરણેલા છે. 

કોર્ટમાં તે વાત સામે આવી કે મહિલા લગ્ન બાદ ક્યારેય સેક્સ માટે એટલે તૈયાર ન થઈ કારણ કે તેને જીનોફોબિયા છે. આ એક માનસિક બીમારી છે, જેમાં સેક્સ સંબંધ બનાવવાને લઈને વ્યક્તિની અંદર શારીરિક કે માનસિક ભય ઘર કરી જાય છે. પરંતુ મહિલાની દલીલ હતી કે તેને કોઈ બીમારી નથી. તે ખુદ સેક્સને લઈને અસંતુષ્ટ અનુભવે છે. મહિલાએ તે પણ દાવો કર્યો કે સેક્સ સંબંધ ન બનાવવા માટે જવાબદાર તેનો પતિ છે, કારણ કે તે બાળક ઈચ્છતો નથી. 

ક્રોસ-એક્ઝામિનેશન દરમિયાન મહિલાએ જણાવ્યું કે તે એક મેટ્રોમોનિયલ સાઇટ પર પ્રથમવાર તેના પતિના સંપર્કમાં આવી હતી. તેમાં તેના માતા-પિતાની કોઈ ભૂમિકા નહોતી. 13 મહિના સુધી એકબીજાના સંપર્કમાં રહ્યાં બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. 

પતિ તરફથી રજૂ વકીલ પ્રભજીત જૌહરે કોર્ટમાં કહ્યુ કે મહિલા હજુ પોતાના લગ્નને પૂરા કરવા ઈચ્છતી નથી. પતિએ અલગ-અલગ સમય પર તમામ પ્રયાસ કર્યા પરંતુ તે સેક્સ સંબંધ બનાવવા માટે તૈયાર થઈ નહીં. વકીલે વધુમાં એવી રજૂઆત કરી હતી કે તેના અસીલની પત્ની ક્યારેય તેની સાથે સંભોગ કરવા માટે સંમત થઈ નથી, ન તો લગ્ન સંપન્ન કરવાના હેતુથી કે બાળક પેદા કરવાના હેતુથી.

ફેમેલી કોર્ટે કહ્યું કે સેક્સ કોઈપણ લગ્નનો પાયો છે. તેના વગર કોઈના લગ્ન લાંબા સમય સુધી ટકવા અસંભવ છે. 

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે લગ્નમાં કોઈ પણ માન્ય કારણ વિના જાતીય સંબંધોનો ઇનકાર કરવો એ ક્રૂરતાથી ઓછું નથી કારણ કે તે લગ્ન નામની સંસ્થાના પાયા પર હુમલો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે જો પતિ-પત્ની સેક્સ વગર ખુશ હોય તો કોઈ વાંધો નથી, પરંતુ જો બંનેમાંથી કોઈ પણ તેનાથી અસંતુષ્ટ હોય તો લગ્નનો કોઈ અર્થ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news